બૉમ્બે હાઈકોર્ટે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપવાનો ઈનકાર કર્યો
બૉમ્બે હાઈકોર્ટે અર્નબ ગોસ્વામીને વચગાળાના જામીન આપવાનો ઈનકાર કર્યો
મુંબઈઃ રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અને નિદેશક અર્નબ ગોસ્વાીને બોમ્બે હાઈકોર્ટે ઝાટકો આપતાં વર્ષ 2018 માટે સુસાઈડ નોટના મામલે વચગાળાના જામન આપવાનો ઈનકાર કરી દીધો છે. જણાવી દઈએ કે હાઈકોર્ટમાં શનિવારે આ મામલે સુનાવણી થઈ હતી અને તે બાદ અદાલતે પોતાનો ફેસલો સુરક્ષિત રાખી લીધો હતો. આજે એટલે કે સોમવારે ન્યાયમૂર્તિ એસએસ શિંદે અને એમએસ કાર્ણિકે અર્નબ ગોસ્વામીને બેલ અપવાવાનો ઈનકાર કરી દીદો. જણાવી દઈએ કે 53 વર્ષના ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈકને કથિત રીતે ઉકસાવવાના મામલામાં થોડા દિવસે પહેલાં મુંબઈ પોલીસે અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હતી.
બંને જજની બેંચે ફેસલો સંભળાવતા કહ્યું કે કોર્ટ તરફતી અસાધારણ ક્ષેત્રાધિકારનો ઉપયોગ કરવાનો કોઈ કેસ બનાવવામાં આવ્યો નથી અને રેગ્યુલર બેલ માટે વિકલ્પ ઉપલબ્ધ છે. બેંચે કહ્યું કે આનાથી સ્પષ્ટ કરી દીધું કે અરજદાર માટે અન્ય વિકલ્પ પણ હાજર છે. બેંચે ફરી એકવાર કહ્યું કે અરજદાર સેશન કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે, જ્યાં 4 દિવસમાં અરજી પર ફેસલો આવી જશે.