અરૂણાચલ હેલિકોપ્ટર ક્રેશમાં બન્ને પાયલોટના મોત, લેફ્ટનન્ટ કર્નલ અને મેજર સવાર હતા
આ ઘટના મંડાલા પાસે બની છે. હેલિકોપ્ટરના કાટમાળ અને પાયલોટના મૃતદેહ શોધવા ઓપરેશન શરૂ કરાયુ છે. આ ચિત્તા હેલિકોપ્ટરમાં લેફ્ટનન્ટ કર્નલ અને મેજર સવાર હતા.

નવી દિલ્હી : ભારતીય સેનાનું વધુ એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. અરુણાચલ પ્રદેશમાં બનેલી આ ઘટનામાં સવાર બન્ને પાયલોટના મોત થયા છે. હેલિકોપ્ટર બોમડિલા નજીક ટેકઓફ કરી રહ્યું હતું ત્યારે ક્રેશ થયું હતું. સૂત્રોએ અકસ્માતમાં બંને પાયલોટના મોતની પુષ્ટિ કરી છે. અહેવાલો અનુસાર, ટેકઓફના થોડા સમય બાદ હેલિકોપ્ટર સવારે 9.15 વાગ્યે ક્રેશ થયું હતું.
આ ઘટના મંડાલા પાસે બની છે. હેલિકોપ્ટરના કાટમાળ અને પાયલોટના મૃતદેહ શોધવા ઓપરેશન શરૂ કરાયુ છે. આ ચિત્તા હેલિકોપ્ટરમાં લેફ્ટનન્ટ કર્નલ અને મેજર સવાર હતા અને સેંગીથી મિસામારી જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા બે પાઈલટની ઓળખ લેફ્ટનન્ટ કર્નલ વીવીબી રેડ્ડી અને મેજર જયંત એ તરીકે થઈ છે. બીજી તરફ સેના કોર્ટે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.
આ ઘટના મુદ્દે લેફ્ટનન્ટ કર્નલ મહેન્દ્ર રાવતે જણાવ્યું કે, હેલિકોપ્ટર બોમડિલા નજીક ઉડી રહ્યું હતું ત્યારે એટીસી સાથે સવારે 9.15 વાગ્યે તેનો સંપર્ક તૂટી ગયો હતો. મંડાલા પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સર્ચ પાર્ટી લોંચ કરાઈ છે. હેલિકોપ્ટરની શોધ માટે પાંચ સર્ચ પાર્ટી મોકલાઈ છે. આમાં ભારતીય સેના, એસએસબી અને આઈટીબીપીની ટીમ સામેલ છે.
બંગલાજાપ ગામ પાસે હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. આ દુર્ઘટનામાં પાયલોટ અને કો-પાઈલટનું મોત થયુ છે. આર્મીના ઈસ્ટર્ન કમાન્ડ કોલકાતા તરફથી એક નિવેદન જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન સેલના પોલીસ અધિક્ષક રોહિત રાજબીર સિંહે જણાવ્યું કે, જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું તે જગ્યાએ મોબાઇલ કનેક્ટિવિટી નથી, હવામાન પણ ખરાબ છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી માત્ર 5 મીટર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
