મહારાષ્ટ્ર સરકારનો ચીનને ઝાટકો, 5 હજાર કરોડના 3 પ્રોજેક્ટ રોકી દીધા
મહારાષ્ટ્ર સરકારનો ચીનને ઝાટકો, 5 હજાર કરોડના 3 પ્રોજેક્ટ રોકી દીધા
મુંબઇઃ સીમા પર ભારત-ચીન વચ્ચેના તણાવની અસર આખા દેશમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. લોકલ સ્તરે ચીનના સામાનના બહિષ્કારની માંગ તેજ થઇ ગઇ છે. આ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારો પણ ચીનને આર્થિક ઝાટકા આપી રહી છે. હવે મહારાષ્ટ્ર સરકારે ચીનના ત્રણ પ્રોજેક્ટ્સને રોકી દીધા છે. આ કરાર 5000 કરોડની પરિયોજનાઓ સાથે જોડાયેલ હતા અને હાલમાં જ 'મેગનેટિક મહારાષ્ટ્ર 2.0 ઇન્વેસ્ટર' સમિટ દરમિયાન થયા હતા. મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી સુભાષ દેસાઇએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે આ ફેસલો કેન્દ્ર સરકાર સાથે વાતચીત બાદ લેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ચીની કંપનીઓ સાથે કોઇ એગ્રીમેન્ટ કરવામાં ના આવે. જણાવી દઇએ કે હાલમાં જ હરિયાણાની સરકારે પણ પાવર પ્રોજેક્ટથી ચીન કંપનીઓના ટેન્ડરને કેંસલ કરી નવા ટેંડર જાહેર કરવાના નિર્દેશ આપી દેવાયા છે.

આ પ્રોજેક્ટ ફ્રીઝ થયા
સાઇન પ્રોજેક્ટમાં પહેલો ગ્રેટ વૉલ મોટર્સનો હતો. 3770 કરોડના આ પ્રોજેક્ટમાં પુણે પાસે ઑટોમોબાઇલ પ્લાન્ટ લાગવાનો હતો. બીજો પ્રોજેક્ટ પીએમઆઇ ઇલેક્ટ્રો મોબિલિટી અે ફોટોનનો હતો. જેમાં 1 હજાર કરોડ રૂપિયામાં યૂનિટ લગાવવાની હતી. ત્રીજો પ્રોજેક્ટ હિંગલી એન્જીનિયરિંગનો હતો. જેમાં 250 કરોડનું રોકાણ હતું.

મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 પ્રોજેક્ટ અર્થવ્યવસ્થાને સુધારવા માટે
જણાવી દઇએ કે મેગ્નેટિક મહારાષ્ટ્ર 2.0 અંતર્ગત રાજ્ય સરકારે અર્થવ્યવસ્થાને ઉભારવાની યોજના બનાવી છે. જેમાં સરકારે 12 સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં સિંગાપુર, દક્ષિણ કોરિયા, અમેરિકાની સાથે જ ભારતની કંપનીઓના કરાર પણ સામેલ હતા. ચીનની કંપનીઓના કરાર રોક્યા બાદ રાજ્ય સરકાર હવે બાકી 9 કરારો પર સક્રિયતાથી કામ કરી રહી છે.

રેલવેએ પણ પ્રોજેક્ટ પાછા ખેંચ્યા
ઉલ્લેખનીય છે કે અગાઉ બીએસએનએલ અને રેલવેએ ચીનને ઝાટકો આપ્યો છે. ગલવાનમાં થયેલ ઘટના બાદ રેલવેએ ચીની કંપનીનો 417 કરોડ રૂપિયાનો ઠેકો રદ્દ કરી દીધો હતો. જ્યારે BSNLએ પણ આ દિશામાં પગલાં ઉઠાવતાં પોતાનું ટેંડર રદ્દ કર્યું હતું.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
