બજેટ 2019: દરેક નાગરિકને 2024 સુધી સ્વચ્છ પીવાનું પાણી મળશે
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનએ તેમના બજેટમાં જાહેરાત કરી છે કે દેશના દરેક નાગરિકને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું તેમની સરકારની પ્રાથમિકતા છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમનએ તેમના બજેટમાં જાહેરાત કરી છે કે દેશના દરેક નાગરિકને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું તેમની સરકારની પ્રાથમિકતા છે. સરકાર 'હર ઘર જલ' યોજના દ્વારા 2024 સુધીમાં તમામ નાગરિકોને પીવાના પાણીની ઉપલબ્ધતા માટે કામ કરી રહી છે.

નાણામંત્રીએ કહ્યું કે, સરકારે પાણી માટે પાણી પુરવઠા મંત્રાલયની રચના કરી છે. પાણી પુરવઠાનો ધ્યેય અમલમાં મુકવામાં આવી રહ્યો છે, 1500 બ્લોકની ઓળખ કરવામાં આવી છે. આ દ્વારા દરેક ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. 2024 સુધીમાં સરકારનું લક્ષ્ય દરેક ઘરમાં પાણી પહોંચાડવાનું છે.
મંત્રીએ જાહેરાત કરી કે 2014 પછી 9.6 કરોડ શૌચાલય બનાવવામાં આવ્યા છે. 5.6 લાખ ગામડાઓ આજે દેશમાં ખુલ્લામાં શૌચથી મુક્ત થઇ ગયા છે. અત્યાર સુધીમાં 2 કરોડ લોકોને ડિજિટલ રૂપથી સાક્ષર બનાવામાં આવ્યા છે. ગ્રામીણ-શહેરી તફાવતને ભરવા માટે, સરકાર ડિજિટલ ક્ષેત્રને પ્રોત્સાહિત કરી રહી છે. સરકાર સ્વચ્છ ભારત હેઠળ, દરેક ગામમાં વેસ્ટ મેનેજમેન્ટ માટે પણ કામ કરી રહી છે.
આ પણ વાંચો: આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુઃ સીતારમણ
મોદી સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે સંસદમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. મોદી સરકારના આ કાર્યકાળનું પહેલું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમન રજૂ કરી રહી છે. કેબિનેટમાંથી બજેટને મંજૂરી મળ્યા પછી, નિર્મલા સીતારમનએ લોકસભામાં બજેટ રજૂ કર્યું. બજેટ રજૂ કરતાં, નિર્મલા સીતારમને કહ્યું કે મજબૂત દેશ માટે મજબૂત નાગરિકની જરૂર છે, દેશના દરેક નાગરિક સુધી પહોંચવા માટે સરકારના પ્રયત્નો ચાલુ છે.
આ પણ વાંચો: બ્રીફકેસની જગ્યાએ લાલ મખમલના કપડામાં બજેટ લપેટીને લાવ્યા સીતારમણ, કેમ?
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
