મુંબઇઃ બે માળની બિલ્ડિંગ ધરાશયી, 3ના મોત, 20ને ઇજા

પાટિલે જણાવ્યું કે, દુર્ઘટના દરમિયાન બે ડઝન લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 15 ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ કાપડ મિલમાં કામ કરતા 28 વર્ષિય લાલ મોહમ્મદના રૂપમાં કરવામાં આવી છે.
બિલ્ડિંગ ધરાશયી થવાનું કારણ હજુ જાણી શકાયું નથી. બચાવ દલના સભ્યા ઇમારતમાં હજુ અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે અને કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. પાટિલે જણાવ્યું કે, બિલ્ડિંગ લગભગ પાંચ વર્ષ જૂની હતી ને તેનો ઉપરનો હિસ્સો નિર્માણાધિન હતો. પાવરલુમ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ ભિવંડી શહેર મુંબઇથી લગભગ 35 કિમી ઉત્તરમાં ઠાણે જિલ્લામાં આવેલું છે.












Click it and Unblock the Notifications
