મમતા બેનર્જીના નેતાઓ બોલ્યા: ઘર સળગાવો, બોમ્બ ફેંકો
બીરભૂમ જિલ્લાના પાર્ટી અધ્યક્ષ અણુબ્રત મંડળે બોલપુર સબ ડિવીઝનના કસબા ગામમાં એક ચૂંટણી સભા દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું હતું કે જો કોઇ અપક્ષ ઉમેદવાર ધમકી આપે છે તો તેના પર હુમલો કરી જો પોલીસ રોકે છે તો બોમ્બ ફેંકો. તેમને એમપણ કહ્યું હતું કે જો કોઇ અપક્ષ ધમકી આપે છે તો તેના ઘરને તોડી દો અને સળગાવી દો. કોઇ અપક્ષ ઉમેદવારને વોટ ન આપો. ફક્ત મમતા બેનર્જી માટે વોટ આપો. જો વહિવટી તંત્ર અપક્ષ ઉમેદવારની મદદ કરે તો તેના પર બોમ્બ ફેંકો, એમ હું તમને કહું છું.
મંડળ જે સમયે પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યાં હતા, તે સમયે મંચ પર કૃષિ રાજ્ય મંત્રી મલય ઘટક અને મત્સ્ય પાલન ચંદ્રનાથ સિન્હા પણ હાજર હતા. અત્રેઉલ્લેખનીય છે કે મંડળે ગત 11 જુલાઇના રોજે પણ પોતાના એક ભાષણમાં કોંગ્રેસને 'ભિખારીઓની પાર્ટી' ગણાવી હતી. એક મહિના પહેલાં તેમને પાર્ટી કાર્યકર્તાઓને નિર્દેશ આપ્યા હતા કે ગ્રામીણ ચૂંટણીઓમાં સીપીઆઇ(એમ) કોંગ્રેસ અને અન્યને નામંકન અટકાવ્યા હતા.