PM મોદી પર નિવેદન આપી ભુટ્ટોએ પોતાના જ દેશની પ્રતિષ્ઠાને ઓછી કરી
અખિલ ભારતીય સૂફી સજ્જાદંશિન પરિષદના પ્રમુખ હઝરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદનની નિંદા કરી છે.
પાકિસ્તાનના પાડોશી દેશના વિદેશ મંત્રી દ્વારા પીએમ મોદી પર કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીથી ભારતીય નાગરિકો નારાજ થઈ ગયા છે. અખિલ ભારતીય સૂફી સજ્જાદંશિન પરિષદના પ્રમુખ હઝરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ ન્યૂયોર્કમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી અભદ્ર ભાષાની સખત નિંદા કરી છે. તેમણે પાકિસ્તાની વિદેશ મંત્રી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે પીએમ મોદી પર આ પ્રકારનું નિવેદન કરીને તેમણે પોતાના જ દેશની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે.

ભારતની તુલના પોતાના સાથે ના કરો?
હઝરત સૈયદ નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે ભુટ્ટોને મારી સલાહ છે કે ભારતની તુલના પાકિસ્તાન સાથે ન કરો કારણ કે આપણું બંધારણ બધાને ધર્મની સ્વતંત્રતાની ખાતરી આપે છે. દરેક મુસ્લિમ ભારતીય હોવા પર ગર્વ અનુભવે છે. તેમણે કહ્યું કે પાકિસ્તાને યાદ રાખવું જોઈએ કે ભારતીય મુસ્લિમો પાકિસ્તાની મુસ્લિમો કરતાં વધુ સુરક્ષિત અને સારા છે. બિલાવલ ભુટ્ટો ભૂલી ગયા છે કે પાકિસ્તાનમાં આતંકવાદી ઓસામા બિન લાદેનને અમેરિકન સેનાએ પાકિસ્તાન સરકારના નાક નીચેથી માર્યો હતો.

પોતાના દેશની પ્રતિષ્ઠા ઓછી કરી
ચિશ્તીએ કહ્યું કે, પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા પીએમ મોદી વિરુદ્ધ જે ઝેરીલી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની હું સખત નિંદા કરું છું. બિલાવલ ભુટ્ટોએ માત્ર તેમના પોર્ટફોલિયોની સ્થિતિ જ ઓછી કરી નથી પરંતુ સમગ્ર વિશ્વની સામે તેમના સમગ્ર દેશની પ્રતિષ્ઠાને નીચે લાવી છે.

જાણો PM મોદી માટે પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યું?
તમને જણાવી દઈએ કે ગુરુવારે ન્યૂયોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ તમામ હદો પાર કરી હતી અને ખૂબ જ ખોટું બોલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અપમાન કર્યું હતું.
'હું ભારતને કહેવા માંગુ છું કે સમા બિન લાદેન મરી ગયો છે પરંતુ ગુજરાતનો કસાઈ હજુ પણ જીવિત છે અને ભારતના વડાપ્રધાન છે'. એટલું જ નહીં, બિલાવલે કહ્યું કે ભારત સરકાર ગાંધીની વિચારધારામાં વિશ્વાસ રાખે છે તેનું કારણ તેમના હત્યારાની થિયરીમાં વિશ્વાસ છે. તેમણે કહ્યું કે ભારત સરકાર હિટલરથી પ્રભાવિત છે. તેમણે પાકિસ્તાનમાં વધી રહેલા આતંકવાદી હુમલાઓ માટે પણ ભારતને જવાબદાર ઠેરવ્યું હતું.












Click it and Unblock the Notifications
