કૈરાનાથી નક્કી થશે, 2019માં ભાજપ સામે કેટલુ મજબૂત રહેશે મહાગઠબંધન
ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટ અને નૂરપુર વિધાનસભા સીટ પર સંપન્ન થયેલ મતદાન બાદ મતગણતરી થઈ રહી છે. સત્તાધારી દળ ભાજપ માટે આ બંને સીટો મહત્વની છે.
ઉત્તરપ્રદેશની કૈરાના લોકસભા સીટ અને નૂરપુર વિધાનસભા સીટ પર સંપન્ન થયેલ મતદાન બાદ મતગણતરી થઈ રહી છે. સત્તાધારી દળ ભાજપ માટે આ બંને સીટો મહત્વની છે. વળી, કૈરાના માટે કંઈક વધારે જ ગણગણાટ સાંભળવા મળ્યો છે. આજે આવનારા ચૂંટણી પરિણામો વચ્ચે બધાની નજર ભાજપ સામે એક થયેલા વિપક્ષ પર પણ હશે.

સમાજવાદી પક્ષ અને બસપાએ જે રીતે મળીને ફૂલપુર અને ગોરખપુરમાં ભાજપને મ્હાત આપી તે બાદ વિપક્ષનું મનોબળ જરૂર વધ્યુ છે. જ્યારે યોગી આદિત્યનાથના નેતૃત્વમાં યુપીમાં ભાજપ વધુ એક હાર ઝેલવા નહિ ઈચ્છે.

કૈરાનામાં રાલોદ-ભાજપ વચ્ચે જંગ
કૈરાનામાં રાલોદ ઉમેદવાર તબસ્સુમ હસનને સમાજવાદી પક્ષ, કોંગ્રેસ અને બસપાનું સમર્થન મળેલ હતુ. આ ત્રણેય પક્ષોએ પોતાના ઉમેદવાર આ ચૂંટણીમા ઉતાર્યા નહિ અને ભાજપ સામે એક ઉમેદવાર માટે પક્ષમાં પોતાનું જોર લગાવ્યુ. જ્યારે ભાજપે દિવંગત પૂર્વ સાંસદ હુકુમ સિંહની પુત્રી મૃગાંકા સિંહને ટિકિટ આપીને મુકાબલો રસપ્રદ બનાવી દીધો.

ભાજપ હિંદુ વસ્તીને સાધી રહી છે
કૈરાનામાં મુસ્લિમ મત ઘણા મહત્વ ધરાવે છે અને ગઠબંધનને આશા છે કે મુસ્લિમો તેમના પક્ષમાં મત આપશે. 16 લાખ મતદારોમાંથી 6 લાખ મતદારો આ સંસદીય સીટ પર ચૂંટણીમાં મહત્વની ભૂમિકા નિભાવે છે. બીજી તરફ ભાજપ ગુર્જર, જાટ, સૈની, કશ્યપ અને દલિત મતોને પોતાના પક્ષમાં કરવાની કોશિશ કરતી રહી છે. ભાજપ હિંદુ વસ્તીને સાધી રહી છે જેથી ધ્રુવીકરણનો લાભ લઈ શકે.

ભાજપ સામે તૈયાર થઈ રહ્યુ છે મહાગઠબંધન
કૈરાનામાં થઈ રહેલ ચૂંટણીને 2019 લોકસભા ચૂંટણી પહેલા લાંબી લડાઈ રૂપે પણ જોવામાં આવી રહ્યુ છે. જો અહીં રાલોદ ઉમેદવાર જીતી જાય તો એક મોટો સંદેશ જશે કે વિપક્ષી દળોને સાથે લઈને ભાજપને નબળુ કરી શકાય છે અને એવામાં ભાજપ માટે આ ત્રીજી હાર હશે. તમને જણાવી દઈએ કે ભાજપે અગાઉ લોકસભા ચૂંટણીમાં કૈરાનામાં 2.5 લાખ મતોથી ભારે જીત મેળવી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
