ઉચ્ચ શિક્ષણમાં 2035 સુધી ગ્રૉસ એનરોલમેન્ટ રેશિયો 50% થઈ જશેઃ કેન્દ્ર સરકાર
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગે માહિતી આપીને જણાવ્યુ કે છેલ્લા 34 વર્ષથી શિક્ષણ નીતિમાં પરિવર્તન થયુ નહોતુ. જાવડેકરે કહ્યુ કે નવુ શૈક્ષણિક સત્ર સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં શરૂ થવા જઈ રહ્યુ છે અને સરકારનો પ્રયાસ પૉલિસીને આ પહેલા લાગુ કરવાનો છે.
પ્રેસ કૉન્ફરન્સમાં હાયર એજ્યુકેશન સેક્રેટરી અમિત ખરેએ જણાવ્યુ કે અત્યારે શિક્ષણ પર કુલ જીડીપીના લગભગ 4.4 ટકા ખર્ચ થઈ રહ્યો છે પરંતુ હવે કેન્દ્ર સરકાર આ ખર્ચને 6 ટકા વધારવાની દિશામાં આગળ વધી રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે મોસ્ટ અવેઈટેડ નવી શિક્ષણ નીતિને બુધવારે છેવટે મંજૂરી આપી દીધી. પ્રેસ કૉન્ફરન્સની શરૂઆત કરીને કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આશા વ્યક્ત કરી કે નવી શિક્ષણ નીતિને સમાજના બધા વર્ગો દ્વારા સ્વીકાર કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે કેબિનેટ 21મી સદી માટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી દીધી છે. આ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણકે છેલ્લા 34 વર્ષોમાં આમાં ફેરફાર થયો નથી.
Cabinet under Prime Minister Narendra Modi has given approval to a new education policy for the 21st century. It is important, as for 34 years there were no changes in the education policy: Union Minister Prakash Javadekar pic.twitter.com/2j5lORrmyt
— ANI (@ANI) July 29, 2020
Video: મુંબઈના આકાશમાં 2 SU-30 ફાઈટર જેટ સાથે 5 રાફેલનો કાફલો