કેપ્ટન અમરિંદર સિંહ બોલ્યા- હું બીજેપીમાં નથી જઇ રહ્યો, પરંતું કોંગ્રેસમાં પણ નહી રહું
પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં. બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો પર અમરિંદર સિંહે આજે કહ્યું કે તેઓ ભાજપ
પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં. બુધવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા બાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો પર અમરિંદર સિંહે આજે કહ્યું કે તેઓ ભાજપમાં જોડાશે નહી. તેમણે કહ્યું કે, હમણાં સુધી હું કોંગ્રેસમાં છું પણ એ પણ નિશ્ચિત છે કે હું કોંગ્રેસમાં પણ નહીં રહું.
ફરી કહી કોંગ્રેસમાં અપમાનની વાત
કેપ્ટન અમરિંદર સિંહે એનડીટીવી સાથેની વાતચીતમાં કહ્યું કે, હું ભાજપમાં જવાનો નથી, તેના વિશે કોઈ અટકળોની જરૂર નથી. તે પણ ચોક્કસપણે છે કે હું જલ્દીથી કોંગ્રેસ છોડવાનો છું. આ પાર્ટીમાં મારું અપમાન થયું છે અને હું અપમાન સહન કરી શકતો નથી. કોંગ્રેસમાં 50 વર્ષ પછી પણ જો આ પ્રકારનું વર્તન થાય તો તેને સહન કરવું શક્ય નથી.
શું નવો પક્ષ બનાવશે અમરિંદર સિંહ
અમરિંદર સિંહે કહ્યું કે તેઓ ભાજપમાં નહીં જાય અને કોંગ્રેસને છોડી દેશે, એવું માનવામાં આવે છે કે તેઓ પોતાનો પક્ષ બનાવીને પંજાબના રાજકારણમાં નવી હોડ કરશે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે અમરિંદર સિંહ 2 ઓક્ટોબરે મોટી જાહેરાત કરી શકે છે.
19 સપ્ટેમ્બરે સીએમ પદ છોડ્યુ
કેપ્ટન અમરિંદર સિંહે 19 સપ્ટેમ્બરના રોજ પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ તેઓ સતત કોંગ્રેસ હાઈકમાન્ડ પર પ્રહારો કરી રહ્યા છે. બુધવારે તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુરુવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે અમરિંદર સિંહ શાંતિથી બેસવાના નથી. કેપ્ટન નવજોત સિદ્ધુને હરાવવા માટે ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી ચૂક્યા છે.