કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ 8 દિવસ બાદ તોડ્યા અનશન
નવીદિલ્હી, 15 ડિસેમ્બરઃ કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ શનિવારે આઠ દિવસ બાદ પોતાના અનશન તોડ્યા છે. તાજેતરમાં જ વિવાદિત કાર્ટૂનના કારણે આઇટી અધિનિયમ એક્ટ 66એ સાથે દેશદ્રોહનો આરોપ લગાવી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ અસંવૈધાનિક કાયદાને તત્કાળ હટાવવામાં આવે તેવી માંગ લઇને તે આઠ દિવસથી અનશન પર હતા.
છેલ્લા આઠ દિવસોમાં ત્રિવેદી અહીં જંતર-મંતર પર અનશન પર બેઠા હતા, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના આગ્રહ બાદ તેમણે અનશન તોડ્યા છે. કેજરીવાલે તેમને જીવન બરબાદ નહીં કરવાની સલાહ આપી છે અને સરકારને ધડમૂળથી નષ્ટ કરવાનું કામ કરવા કહ્યું છે.
ત્રિવેદી અને તેમના સહયોગી આલોક દીક્ષિતે પ્રદર્શન સ્થળ પર કેજરીવાલના હાથે જ્યૂસ પીને પોતાના અનશન તોડ્યા હતા. કેજરીવાલની અહીં હાજરી મહત્વપૂર્ણ હતી કારણ કે આ પહેલા ત્રિવેદીએ આ કાર્યકર્તાના રાજકારણમાં આવવાના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જો કે, ત્રિવેદીએ એમ પણ કહ્યું હતું કે મને લાગે છે કે તેમનો નિર્ણય સાચો હતો.
તેમણે કહ્યું કે, અમે સરકાર સમક્ષ પોતાની વાત રજૂ કરવા ભરપૂર પ્રયત્નો કર્યા છે પરંતુ સરકાર કંઇ સાંભળતી નથી. આ સમયે દેશને રાજકિય વિકલ્પની જરૂર છે. કેજરીવાલે સરકાર પર આમ લોકોની વાત નહીં સાંભળવાનો આરોપ લગાવતા કહ્યું કે આવી સ્થિતિમાં હવે પોતાનો માર્ગ બદલવો એ જ એકમાત્ર વિકલ્પ છે.
કેજરીવાલે કહ્યું કે, આ દેશમાં યુવા પોતાના વિચારોની અભિવ્યક્તિ માટે લડાઇ લડી રહ્યાં છે. આઇટી ધારા 66એ અસંવેધાનિક છે અને આ કાયદા હેઠળ યુવાનોની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી રહ્યાં છે. ઓછામાં ઓછું સરકારે તેમની વાત જરૂરથી સાંભળવી જોઇએ. ત્રિવેદીએ આ અધિનિયમમાં બદલાવ કરવામાં આવે તે વાત પર વજન આપતા સરકાર પર તાલિબાન જેવા વ્યવહારનો આરોપ લગાવ્યો છે.
કેજરીવાલે એમ પણ આરોપ લગાવ્યો કે ત્રિવેદી અને દીક્ષિતને દૂરસંચાર અને સૂચના પ્રસારણ મંત્રી કપિલ સિબ્બલને મળવાની પરવાનગી પણ નહોતી આપવામાં આવી અને આ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
