આધાર કાર્ડથી કેશ ફોર ટ્રાન્સફર યોજનાને મુશ્કેલી

aadhar-card
નવી દિલ્હી, 26 ડિસેમ્બર : કેન્દ્રની યુપીએ સરકાર તેની મહત્વકાંક્ષી કેશ સબસિડી યોજનાને 1 જાન્યુઆરી, 2013થી અમલી બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. નવા વર્ષે સરકાર તેને 43 જિલ્લાઓમાં અમલી બનાવવા માંગે છે. ત્યારે આધાર કાર્ડના ડેટા બેઝની ઓછી ઉપલબ્ધતા તેમાં મોટો અવરોધ સર્જી શકે છે.

સીધા કેશ ટ્રાન્સફરની યોજનામાં આઘાર કાર્ડ નંબરને આધારે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી કેશ પહોંચી જાય તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. સરકારે દેશના 16 રાજ્યના 43 જિલ્લાઓમાં 1 જાન્યુઆરી, 2013થી તેને અમલી બનાવવા માટેનો નિર્ણય લીધો છે. સૂત્રોનું કહેવું છે કે આ જિલ્લાઓમાં આધાર કાર્ડની ઉપલબ્ધતા ઘણી ઓછી છે. ખાસ કરીને જે જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે તેના ગ્રામ્ય વિસ્તારોમાં આધાર કાર્ડ 100 ટકા ઉપલબ્ધ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં જે જિલ્લાઓમાં આ યોજના શરૂ કરવામાં આવવાની છે તેમાંથી અનેક સ્થળોએ આધાર કાર્ડનો ડેટા ઉપલબ્ધ નથી. કેટલાક જિલ્લાઓમાં કાર્ડ બેંક સાથે જોડાયેલા નથી. કેન્દ્ર સરકારે આ સમસ્યાને પારખીને વરિષ્ઠ અધિકારીઓને આ જિલ્લાઓમાં મોકલીને યોજનાના અમલીકરણની તૈયારી અંગે ચેતવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X