2G કેસ: CBI વકીલ જ નિકળ્યો આરોપીનો ભેદી, વીડિયો ટેપ ઝબ્બે
2જી મામલામાં આ સૌથી મોટો ખુલાસો છે. એવો આરોપ છે કે સીબીઆઇના વકીલે એક લાખ 76 કરોડ રૂપિયાના ઘોટાળાના આરોપમાં ફસાયેલા એક ઉદ્યોગપતિની મદદ કરી. જોકે સીબીઆઇએ આ મામલાની તપાસ પણ શરુ કરી દીધી છે. સીબીઆઇ પાસે 17 મિનિટની એક ઓડિયો ક્લિપ છે જેમાં તેને સરકારી વકીલ એ કે સિંહ અને યુનિટેકના એમ.ડી સંજય ચંદ્રાની વચ્ચે વાતચીતની શંકા છે.
સીબીઆઇ અનુસાર આ વાતચીત સપ્ટેમ્બર 2012ની છે એટલે કે ફરિયાદી પક્ષના સાક્ષીઓની તપાસ શરૂ થયાના થોડા પહેલા. સીબીઆઇને શંકા છે કે એ.કે સિંહ ફરિયાદી પક્ષની રણનીતિ ચંદ્રા સાથે સોદો કરી રહ્યા હતા. શંકા છે કે આ વાતચીતમાં સિંહ ચંદ્રાને સલાહ આપતા દેખાઇ રહ્યા છે કે કેવી રીતે તે તેમને આ કેસમાંથી નીકળવામાં મદદ કરી શકે છે. સાથે સાથે આરોપ છે કે સિંહ, ચંદ્રાને એ પણ પૂછી રહ્યા છે કે તેમના જેવા સરકારી વકીલની બજારમાં શું કીંમત છે.
સીબીઆઇએ બંનેને બોલાવીને પૂછપરછ પણ કરી છે. સીબીઆઇના હાથમાં આ ક્લિપ આવ્યા બાદ એ.કે સિંહને આ કેસમાંથી હટાવી દેવામાં આવ્યો છે. સીબીઆઇ નિર્દેશક રંજીત સિન્હાએ જણાવ્યું કે એજન્સી આ વાતને ગંભીરતાથી લઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ ટેલીકોમ મંત્રી એ રાજા અને ડીએમકે સુપ્રીમો કરૂણાનિધિની બેટી અને રાજ્યસભા સાંસદ કનિમોજીને મહીનાઓ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. આ મામલે 5 ઉદ્યોગપતિઓને પણ મહીનાઓ સુધી જમાનત ન્હોતી મળી. સંજય ચંદ્રા અને સ્વાન ટેલીકોમના માલિક શાહિદ બલવાનો આમા સમાવેશ થાય છે. આ વાતચીતમાં શાહિત બલવાનો પણ ઉલ્લેખ છે. ચંદ્રા અને બલવા પર એ રાજાની સાથે મળીને 2જી ફાળવણીની પ્રક્રિયા પોતાના પક્ષમાં કરવા અને ગેરકાનૂની રીતે પોતાની કંપનીના શેર વેચીને મોટો નફો કમાવવાનો આરોપ છે.