ઉરી આતંકવાદી હુમલાનો બદલો, LOC પર માર્યા 10 આતંકવાદી
રવિવારે આતંકવાદી હુમલા બાદ મંગળવારે પાકિસ્તાન તરફથી ઉરીમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. મંગળવારે ઉરી સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. જેના જવાબમાં ભારતે પણ વળતુ ફાયરિંગ કર્યુ છે. આ જવાબી ફાયરિંગમાં અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.
ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચો
પ્રારંભિક અહેવાલ મુજબ ઉરીમાં ભારતીય ચોકીઓ પર પાક તરફથી નાના હથિયારો વડે 20 રાઉન્ડ ફાયરિંગ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કુલ 15 આતંકવાદી આ વિસ્તારમાં હાજર છે અને અત્યાર સુધીમાં 10 આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. પાકે ઉરીના લચ્છીપુરામાં ફાયરિંગ કર્યુ છે. જેના વળતો જવાબ ભારતે દારૂગોળાથી આપી દીધો હતો.
Total 8 terrorists killed by Army in Lachipura area of Jammu and Kashmir's Uri sector, infiltration bid foiled (visuals deferred) pic.twitter.com/4o7fVGd4sq
— ANI (@ANI_news) September 20, 2016
તમને જણાવી દઇએ કે રવિવારે ઉરીના આર્મી બેઝ પર થયેલા હુમલામાં 18 જવાન શહીદ થઇ ગયા છે. સૂત્રો અનુસાર પાકિસ્તાન તરફથી ઓપન ફાયરિંગ કરવામાં આવ્યું. અને આ દ્વારા ફરીથી આતંકવાદીને ભારતીય સીમામાં ધૂસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુદ્ધવિરામનું ઉલ્લંઘન રવિવારે જ્યાં આતંકવાદી હુમલો થયો હતો તે જ સેક્ટરમાં કરવામાં આવ્યું છે. ત્યારે ભારતે પણ હાલ પાકિસ્તાનને આ અંગે મુંહતોડ જવાબ આપ્યો છે.
ભારત Vs પાક, અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન?