2જી ઓક્ટોબરથી ઉજવવામાં આવી રહ્યો છે દાન ઉત્સવ, જાણો મહત્વ
2જી ઓક્ટોબરથી ઉજવવામાં આવી રહ્યો છે દાન ઉત્સવ, જાણો મહત્વ
2 ઓક્ટોબર 2018ના રોજ મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ છે, તેમણે પણ સમાજને કંઈક આપીને ઋણ ચૂકવવા માટે લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારે દાન ઉત્સવ માટે આનાથી સારો એકેય દિવસ ન હોય શકે. 2જી ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી દેશભરમાં દાન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જ્યાં લોકો જરૂરિયાતમંદોને કપડાં, ખોરાક, દવા, મદદ સહિતની જરૂરી વસ્તુઓનું દાન કરીને અન્યોના ચહેરા પર પણ સ્માઈલ લાવતા હોય છે.

આપણી મોડર્ન લાઈફ ભાગદોડ અને પડકારજનક હોય છે, પરંતુ આપણે કેટલીય વખત પ્રોત્સાહિત સ્ટોરીઓ પણ વાંચી હતી જેમાં લોકો પોતાના રોજિંદા જીવનમાં અન્યો માટે પણ કંઈક કરતા હોય. દાન ઉત્સવ અન્યો માટે કંઈક કરવાનો ઉત્સવ છે. કોઈપણ રીતે અન્યોને મદદ કરી તેમને ખુશ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અને તમે જો મેહસૂસ કર્યું હશે તો અન્યોને મદદ કર્યા બાદ મળેલી ખુશી બીજા કેવાયમાં નથી હોતી. દાન ઉત્સવ કોઈ એનજીઓ દ્વારા કે નથી યોજાતી કે જેમાં લોકો થોડા કિમી દોડીને યોગદાન આપી દે તો ચાલી જાય. ભારતના હજારો સ્વયં સેવકો દ્વારા દાન ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.
છેલ્લા 10 વર્ષથી દાન ઉત્સવ દ્વારા દેશભરના લાખો યુવાનોને પ્રોત્સાહિત કરી શકાયા છે. એક સામાન્ય આઈડિયામાંથી શરૂ થયેલ દાન ઉત્સવમાં આજે સ્કૂલ-કોલેજ અને કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશનો પણ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે તમે પણ તમારા પરિવાર, મિત્રો સાથે મળીને જોય ઑફ શેરિંગનો આનંદ ઉઠાવી શકો છો. કોઈને બૂક ગિફ્ટ આપીને, રમકડાં કે અન્ય જરૂરી વસ્તુઓ ભેટ આપીને અથવા વડીલોને સમય આપીને પણ તમે દાન ઉત્સવ ઉજવી શકો છો.
ઓરિસ્સાના બદંબામાં આવેલા રિક્ષા ડ્રાઈવર્સ દાન ઉત્સવના દિવસે વૃદ્ધોને તેમના ઘરેથી મેડિકલ કેમ્પ સુધી મફતમાં લઈ જઈને પોતાનું યોહગદાન આપે છે, ચેન્નઈના વેજિટેબલ વેન્ડર્સ શાકભાજી દાન કરીને પોતાનું યોગદાન આપે છે. મુંબઈના એક અંધ છોકરાએ મુંબઈ સેન્ટ્રલને પેઈન્ટ કરીને પોતાનું યોગદાન આપ્યું હતું. આતો હજારોમાંની અમુક જ સ્ટોરી છે જે તમને પણ અન્યો માટે કંઈક કરી બેસવા માટે પ્રોત્સાહન પૂરું પાડી શકે છે. ક્રિસમસ, દિવાળી અને ઈદની જેમ દાન ઉત્સવ પણ દર વર્ષે 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી ઉજવવામાં આવી રહ્યો છે. દાન ઉત્સવમાં ભાગ લેવા માટે તમે કોઈ એનજીઓનો સંપર્ક કરી શકો છો અથવા તો તમે કોઈને જાણતા હોવ તેવા લોકોને જરૂરી વસ્તુઓ દાન આપીને પણ તમે આ ઉત્સવની ઉજવણી કરી શકો છો.
આ પણ વાંચો- કેન્સર થેરેપીની શોધ માટે મેડિસિનમાં બે વૈજ્ઞાનિકોને નોબેલ પુરસ્કાર
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
