યુપીમાં ચંદ્રશેખરની જીત બીજેપી માટે ખતરાની ઘંટી? જાણો વિધાનસભા ચૂંટણીમીં બીજેપીને કેટલુ નુકસાન કરશે?
લોકસભા ચૂંટણીમાં ઉત્તર પ્રદેશથી બીજેપીને મોટો ઝટકો મળ્યો છે. અહીં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ સાથે સાથે આઝાદ સમાજ પાર્ટીએ પણ મોટો ઝટકો આપ્યો છે.
યુપીની લડાઈમાં આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદની જીતથી સપા અને બીજેપીની મુશ્કેલીઓ વધી છે. આઝાદ સમા પાર્ટીએ નગીના લોકસભા સીટની પાંચેય વિધાનસભા સીટ પર જીત મેળવી છે.

યુપીના ચૂંટણી જંગમાં સપા અને કોંગ્રેસ એકસાથે આવ્યા અને ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી હતી. આ ઉપરાંત અન્ય પક્ષોના ઉમેદવારોએ ચૂંટણી લડી છે. આમાંથી ચંદ્રશેખર આઝાદ આઝાદ સમાજ પાર્ટીના વડા છે.
ચંદ્રશેખર આઝાદ પહેલીવાર નગીના લોકસભા સીટ પરથી જીત્યા છે. તેમની જીતે ભાજપની સાથે-સાથે સપા અને બસપાની પણ ઊંઘ હરામ કરી દીધી છે, કારણ કે ત્રણ વર્ષ બાદ યુપીમાં 2027માં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે.
જો આપણે આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદની જીત પર નજર કરીએ તો, તેમણે નગીના લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભા બેઠકો પર શાનદાર પ્રદર્શન કર્યું છે.
નગીના લોકસભા સીટ પર મજબૂત લીડ સાથે નગીના, ધામપુર, નહતૌર, નૂરપુર અને નઝીઝાબાદ વિધાનસભા સીટ જીતી છે.
નગીના વિધાનસભા સીટ પર ASPને 1,12,518 વોટ અને બીજેપીને 68,880 વોટ મળ્યા. ASPનું વિજય માર્જિન 43 હજારથી વધુ છે. આ સિવાય ધામપુર વિધાનસભા સીટ પર ASPને 90,518 વોટ અને બીજેપીને 73,680 વોટ મળ્યા. જીતનું માર્જિન 16 હજારથી વધુ છે.
નહતૌર વિધાનસભા સીટ પર ASPને 1,03,544 વોટ અને બીજેપીને 72,520 વોટ મળ્યા. વિજયનો ગાળો 31 હજારથી વધુ છે. નૂરપુર વિધાનસભા સીટ પર ASPને 1,02,691 વોટ અને બીજેપીને 75,728 વોટ મળ્યા. જીતનું માર્જિન 30 હજારથી વધુ છે.
નૂરપુર વિધાનસભા સીટ પર ASP ને 1,02,691 અને BJP - 75,728 વોટ મળ્યા. જીતનું માર્જીન 30 હજારથી વધુ મતો છે. નજીબાબાદ વિધાનસભા સીટ પર ASP 1,02,541 વોટ અને BJP ને 68,943 વોટ મળ્યા. જીતનું માર્જિન 33 હજાર મતોથી વધુ હતું.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
