Chandrayaan-3 : પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડર હવે આરામ કરશે, સ્લીપ મોડમાં મુકવાની તૈયારી શરૂ
ભારતનું ચંદ્રયાન-3 ચાંદની ધરતી પર છેલ્લા 10 દિવસથી વિવિધ પ્રકારની માહિતી પૃથ્વી પર મોકલી રહ્યું છે. જો કે હવે ઈસરોએ વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મુકવાની તૈયારીઓ શરૂ કરી છે.
પ્રજ્ઞાન રોવરે ચંદ્રની સપાટી પર 100 મીટરની યાત્રા કરીને ઘણા મહત્વના ડેટા મોકલ્યા છે. ઈસરોએ ચંદ્ર પર ઓછા સૂર્યપ્રકાશને કારણે વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર બંનેને સ્લીપ મોડમાં મૂકવાની તૈયારી કરી છે.

ઈસરો અધ્યક્ષ એસ.સોમનાથે આદિત્ય L-1 મિશનના સફળ લોન્ચિંગ બાદ ચંદ્રયાન મુદ્દે ઘણી માહિતી આપી. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ 23મી ઓગસ્ટે સાંજે 6.05 કલાકે કરવામાં આવ્યું હતું. ચંદ્રયાન-3 સાથે જ ચંદ્ર પર સફળ લેન્ડિંગ કરનારો ચોથો અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતપનારો પહેલો દેશ હની ગયો છે.
જણાવી દઈએ કે, મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય પાણીની શોધ કરવાનો અને ચંદ્રની સપાટીની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરવાનો છે, જેમાં ચંદ્રની ઉપરની જમીનના થર્મલ ગુણધર્મો અને સપાટીના તત્વોનો સમાવેશ થાય છે.
23 ઓગસ્ટ સતત કામ કરી રહેલુ પ્રજ્ઞાન રોવર તેના મિશન ઉદ્દેશ્યોને સફળતાપુર્વક આગળ વધારી રહ્યું છે. જેમાં ચંદ્ર પર સલ્ફર, આયર્ન, ઓક્સિજન અને અન્ય તત્વોની હાજરીની પુષ્ટિ કરવામાં આવી છે. પ્રજ્ઞાન રોવરની 100 મીટરની મુસાફરી અને ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતરાણે ઈસરોનો દુનિયાભરમાં ડંકો વગાડી દીધો છે.
જો કે હવે ચંદ્રની સપાટી પર સૂર્યપ્રકાશ ઓછો થતા ઈસરોએ વિક્રમ અને પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મૂકવાની તૈયારી કરી છે. બંને સૌર ઉર્જાથી સંચાલિત છે અને જ્યારે સૂર્યપ્રકાશ હોય ત્યારે કામ કરવા માટે રચાયેલ છે. બન્નેની કામગીરી પુરી થઈ જાય પછી તેને ચંદ્રની સપાટી પર જ છોડી દેવામાં આવશે.
જણાવી દઈએ કે, ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવરની લાઈફ એક ચંદ્ર દિવસ અને પૃથ્વી પરના 14 દિવસ છે. હવે જ્યારે ચંદ્ર પર બીજો દિવસ ઉગશે ત્યારે જ ખબર પડશે કે પ્રજ્ઞાન અને વિક્રમ લેન્ડર કામગીરી કરશે કે કેમ?
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
