RSS માનહાનિ કેસમાં રાહુલ ગાંધી સામે આરોપ નક્કી
આરએસએસ દ્વારા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફાઈલ કરાવેલ માનહાનિ કેસમાં ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધી સામે આરોપ નક્કી કરી દીધા છે.
આરએસએસ દ્વારા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધતી જણાઈ રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ફાઈલ કરાવેલ માનહાનિ કેસમાં ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધી સામે આરોપ નક્કી કરી દીધા છે. આઈપીસીની ધારા 499 અને 500 માં રાહુલ ગાંધી આરોપ નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલા આજે રાહુલ ગાંધી થાણેના ભિવંડી મેજિસ્ટ્રેટ કોર્ટના હાજર થવા માટે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીએ આરએસએસ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો હતો જેવા કારણે તેમની સામે માનહાનિનો કેસ ફાઈલ કરવામાં આવ્યો હતો.

આરએસએસ કાર્યકર્તા રાજેશ કુંતેએ કર્યો હતો કેસ
છ માર્ચ 2014 ના રોજ આરએસએસ કાર્યકર્તા રાજેશ કુંતેએ રાહુલ ગાંધી સામે અપરાધિક માનહાનિનો કેસ ફાઈલ કર્યો હતો. જેમાં કુંતેએ આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ સંઘ પર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ લગાવ્યો છે. તેમણે સંગઠનની પ્રતિષ્ઠા પર ધબ્બો લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યુ તે દોષિત નથી
નિવેદન નોંધતા પોતાની સફાઈમાં રાહુલ ગાંધીએ કહ્યુ કે તે દોષિત નથી. રાહુલે કહ્યુ કે ભાજપ-આરએસએસના લોકો મારા પર કેસ કરતા રહે છે. મને આનાથી કોઈ ફરક નથી પડતો. રાહુલે કહ્યુ કે તે ચૂંટણી લડશે અને જીતશે. રાહુલની સાથે પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ અને અશોક ગેહલોત પણ અદાલતમાં હાજર હતા.

રાહુલ ગાંધી સામે માનહાનિનો મામલો
અદાલતે રાહુલ પર આઈપીસીની ધારા 499 અને 500 અતંર્ગત આરોપ નક્કી કર્યા. આરએસએસ માનહાનિ કેસમાં રાહુલનું નિવેદન ફાઈલ કરવા માટે 12 જૂનની તારીખ નક્કી કરવામાં આવી હતી. આરએસએસના સ્થાનિક કાર્યકર્તા રાજેશ કુંતેએ થાણેના ભિવંડીમાં ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યા બાદ તેમની સામે કેસ ફાઈલ કરાવ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
