For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંડેના બદલે રમણ સિંહે મોદીને આપી દિધી શ્રદ્ધાંજલિ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

modi-ramansingh
નવી દિલ્હી, 5 જૂન: એનડીએ સરકારના કેન્દ્રિય ગ્રામીણ વિકાસ મંત્રી ગોપીનાથ મુંડેનું નિધન રોડ અકસ્માત થઇ ગયું. ભારતીય જનતા પાર્ટી સહિત દેશના માટે શોકનો સમય હતો. તમામ નેતા ગોપીનાથ મુંડે પ્રત્યે પોતાની સદભાવના અને શોક વ્યક્ત કરી રહ્યાં હતા. ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપતી વખતે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહથી મોટી ચૂક થઇ ગઇ.

ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપવાના બદલે રમણ સિંહે વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નિધન પર શોક વ્યક્ત કરી દિધો. જો કે તેમને તાત્કાલિક ભૂલનો એહસાસ થઇ ગયો અને તેમને પોતાની ભૂલ સુધારી લીધી. રાજધાનીમાં આયોજીત શોકસભામાં ધારાપ્રવાહ બોલતાં રમણ સિંહે ગોપીનાથ મુંડેના બદલે નરેન્દ્ર મોદીનું નામ લઇને શોક વ્યક્ત કરી દિધો. પરંતુ જેવી જ તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમણે ભૂલ સુધારી લીધી.

તમને જણાવી દઇએ કે આ પ્રકારની ભૂલ એક હિન્દી સમાચાર ચેનલે પણ કરી હતી. 26 મેના રોજ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ લેતાં પહેલાં રાજધાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. ત્યારે એનડીટીવી ઇન્ડિયાએ એ સમાચાર બતાવતાં ખોટું ટિકર ચલાવ્યું હતું. ટિકરમાં લખવામાં આવ્યું હતું, મોદીની સમાધિ પર નરેન્દ્ર મોદી. ત્યારબાદ ચેનલે ભૂલ સુધારતાં ભૂલ માટે માંફી માંગી હતી.

English summary
Chhattisgarh Chief Minister Dr Raman Singh paid Condolence to Ptime Minister of India Narendra Modi instead of Gopinath Munde by Mistake On 3 june 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X