નબળા હૃદયવાળા ના જુએ વીડિયો, કબર ખોદીને કરાયું યુવતીઓનું પોસ્ટમોર્ટમ!
રાયપૂર, 30 મે : છત્તીસગઢમાં કોંગ્રેસના કાફિલા પર હુમલા દરમિયાન થયેલા નરસંહાર માટે અમુક અંશે છત્તીસગઢ સરકાર પર જવાબદાર છે. કારણ કે ઘણી વખત અહીં ક્રાઇમ પોલીસ કરે છે અને નામ નક્સલીઓનું આપવામાં આવે છે. ઘણી વખત નિર્દોષ ગામના લોકોને નક્સલીઓ ઘણાવીને મારી નાખવામાં આવે છે. 2009ના આવા જ એક મામલાની યાદો તાજી થઇ ગઇ જ્યારે આજે યુટ્યૂબ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો.
આ વીડિયો અંગે ચર્ચા કર્યા પહેલા અમે આપને ચેતવણી આપવા માંગીએ છીએ કે જો આપ નબળા હૃદયના હોવ તો આ વીડિયોને ના જોતા. વીડિયોમાં યુવતીઓને કબરમાંથી કાઢીને ખુલા આકાશની નીચે પોસ્ટમોર્ટમ કરતા બતાવવામાં આવ્યું છે.
આ ઘટના એ વાત સાબિત કરે છે કે આજે પણ આપણી પોલીસ અને સ્વાસ્થ્ય વ્યવસ્થા કેટલી નબળી છે કે ઘટના સ્થળ સુધી એમ્બ્યુલન્સ પણ પહોંચાડવામાં ના આવી. જે નિર્દયતાથી યુવતીઓને મારવામાં આવી, તે આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે.
શું હતી ઘટના: વર્ષ 2009માં કેટલાંક પોલીસ કર્મચારીઓએ દંતેવાડાના સિંગારમ ગામમાં 19 આદિવાસીઓની હત્યા કરી દીધી હતી. મામલો જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે તે આદિવાસીઓને નક્સલીઓ ગણાવી દેવામાં આવ્યા. અને કહેવામાં આવ્યું કે તેમના મૃતદેહ નક્સલીઓ ઉઠાવીને લઇ ગયા. કેસ ત્યાંજ દબાઇ ગયો પરંતુ જ્યારે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી ત્યારે કોર્ટે પોલીસ પાસે જવાબ માંગ્યો.
ત્યારે જઇને સત્ય સામે આવ્યું કે તેઓ નક્સલી નહીં પરંતુ આદીવાદીઓ હતા. તેમના મૃતદેહ ગામમાં જ દાટી દેવામાં આવ્યા હતા. 19 લોકોમાં 11 યુવતીઓ હતી. કોર્ટે આદેશ કર્યો કે મૃતદેહ બતાવવામાં આવે અને તેમના પોસ્ટમોર્ટમ કરવામાં આવે. ત્યારે પોલીસ અને સીઆરપીએફની દેખરેખ હેઠળ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. આખો મામલો ખુલી જતા એસપીએ આત્મહત્યા સુધ્ધા કરી લીધી હતી. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે આ એન્કાન્ટરને નકલી ગણાવ્યું છે.
વીડિયો જોવા માટે ફોટો સ્લાઇડર પર ક્લિક કરો...




-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
