જ્યોર્જ સોરોસના નિવેદન મુદ્દે ચિદમ્બરમના સરકારને સવાલ, કહ્યું- શું મોદી સરકાર આટલી કમજોર છે?
પી ચિદમ્બરમે જ્યોર્જ સોરોસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ તરીકે લેબલ કરવી એ બાલિશ પ્રતિક્રિયા ગણાવી છે.
નવી દિલ્હી : પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે જ્યોર્જ સોરોસના નિવેદનને ગંભીરતાથી ન લેવાની વકિલાત કરી છે. તેમણે ભાજપની આક્રમક પ્રતિક્રિયાને બાલિશ ગણાવતા પૂછ્યું કે, શું મોદી સરકાર એટલી નબળી છે કે તે 92 વર્ષના રોકાણકારના અજીબોગરીબ નિવેદનને કારણે પડી જશે? અહીં તમને જણાવી દઈએ કે જ્યોર્જ સોરોસે અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને લઈને પીએમ મોદી પર આરોપ લગાવ્યા હતા.

પુર્વ નાણાંમંત્રી પી ચિદમ્બરમે કહ્યું કે, જ્યોર્જ સોરોસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ તરીકે લેબલ કરવી એ બાલિશ નિવેદન છે. તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું મોદી સરકાર એટલી નબળી છે કે તેને 92 વર્ષીય શ્રીમંત વિદેશી નાગરિકના ભટકાયેલા નિવેદન દ્વારા પાડી શકાય?
ચિદમ્બરમે એક પછી એક ટ્વિટ કરીને જણાવ્યુ કે, મને ખબર ન હતી કે મોદી સરકાર એટલી નબળી છે કે તેને 92 વર્ષના ધનિક વિદેશી નાગરિકના નિવેદનથી પાડી શકાય છે. તેમણે આક્ષેપ કર્યો કે, મોદી સરકારની નીતિઓએ સ્પર્ધા શરૂ કરવાને બદલે અલીગાર્કીનું નિર્માણ કર્યું છે.
I did not agree with most of what George Soros had said in the past and I do not agree with most of what he says now
— P. Chidambaram (@PChidambaram_IN) February 18, 2023
But to label his remarks as an "attempt to topple the democratically elected government in India" is a puerile statement
ચિદમ્બરમે જ્યોર્જ સોરોસની વાતો સાથે અસહમત થતા કહ્યું કે, તેમાંથી હું અસંમત છું, પરંતુ તેમની ટિપ્પણીને ભારતમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને તોડી પાડવાનો પ્રયાસ તરીકે લેબલ કરવી બાલિશ છે. તેમણે ભાજપને અવગણના કરવાની સલાહ આપી.
92 વર્ષીય જ્યોર્જ સોરોસે એક ટિપ્પણીમાં કહ્યું હતું કે, ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના બિઝનેસ સામ્રાજ્યમાં ઉથલપાથલ ભારતમાં લોકતાંત્રિક પુનરુત્થાનના દરવાજા ખોલી શકે છે. આ અંગે કોંગ્રેસે શુક્રવારે કહ્યું કે, અદાણી મુદ્દો દેશમાં લોકતાંત્રિક પુનરુત્થાનને વેગ આપશે કે કેમ તે સંપૂર્ણપણે જૂની પાર્ટી અને અન્ય વિરોધ પક્ષો પર નિર્ભર છે અને તેને અબજોપતિ રોકાણકાર જ્યોર્જ સોરોસ સાથે કોઈ લેવાદેવા નથી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
