મુખ્યમંત્રી ભગવંત માનના નવજોત સિંહ સિદ્ધુ પર આકરા પ્રહાર, કહ્યું-કોંગ્રેસનું નસીબ જ ખરાબ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિરોધી નેતાઓને આડેહાથ લીધા છે. આ ક્રમમાં તેમણે નવજોત સિંહ સિદ્ધુ પર આકરા પ્રહારો કર્યા.
તેમણે કહ્યું કે, પંજાબના ચાર નેતાઓ દરરોજ સવારે ઉઠતાની સાથે જ તેમને ગાળો આપે છે. તેમાં સુખબીર સિંહ બાદલ, પ્રતાપ સિંહ બાજવા, અમરિંદર સિંહ રાજા વડિંગ અને નવજોત સિંહ સિદ્ધુ સામેલ છે.

સીએમ માનને નવજોત સિંહ સિદ્ધુને લગ્નમાં જવા માટેનો સૂટ ગણાવ્યો. તેમણે કહ્યું કે, લોકો લગ્નમાં સૂટ મળે તે અન્યને આપી દે છે. તેને કોઈ પોતાની સાથે રાખતું નથી.
કોંગ્રેસ કમનસીબ છે કે તેઓએ આ સૂટ પોતાની પાસે રાખ્યો અને ખોલ્યો. હવે આ સૂટને ન તો સિલાઇ કરી શકાય છે અને ન તો તેને પેક કરી શકાય છે.
વિપક્ષ પર નિશાન સાધતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ લોકો દરરોજ સવાર-સાંજ મને ગાળો આપે છે. લોકો મને શું કહે છે તેની મને પરવા નથી. સમગ્ર કોંગ્રેસ બીજેપીમાં જોડાઈ ગઈ છે.
કેપ્ટન અમરિન્દર સિંહથી નારાજ સુનીલ જાખડ બીજેપીમાં જોડાયા. પરંતુ અહીં પણ તેમના કેપ્ટન અમરિન્દર સાથે મતભેદ હતા. મનપ્રીત બાદલ ભાજપમાં છે, પરંતુ તેમણે કેટલા પક્ષો બદલ્યા તેની ખબર નથી.
મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે પંજાબના સાડા ત્રણ કરોડ લોકોના સન્માન અને ગરિમા સાથે સમાધાન નહીં કરીએ.
મુખ્યમંત્રીએ કહ્યું કે, તમે લોકોએ મને મુખ્યમંત્રીની ખુરશી પર બેસાડ્યો છે, તમે જ મને આ ખુરશી પરથી હટાવી શકો.












Click it and Unblock the Notifications
