મુખ્યમંત્રી ભગવંત માને અમૃતસરમાં ઓવરબ્રિઝનું ઉદઘાટન કર્યુ, ટ્રાફિકમાં રાહત મળશે
આ બ્રિજનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને કોરોના મહામારીને કારણે સમસ્યાઓ નડી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકારે આવતાની સાથે જ કામને વેગ આપ્યો.

અમૃતસર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને અમૃતસર જિલ્લાના લોકોની માંગ પૂરી કરી છે. સીએમ માને વલ્લા રેલ્વે ઓવરબ્રિજનું ઉદઘાટન માન કરીને લોકોને મોટી રાહત આપી છે. આ બ્રિજના લોકાર્પણથી ભારે ટ્રાફિકથી રાહત મળશે. અમૃતસરના રહેવાસીઓને અભિનંદન આપતાં સીએમ માને કહ્યું કે, કેન્દ્ર પણ રેલવે ઓવરબ્રિજના કામમાં સહયોગ આપી રહ્યું છે.
વલ્લા રેલ્વે ફાટકથી રોજની 138 ટ્રેનોની અવરજવર થાય છે. આના કારણે દર 10 મિનિટે ફાટક બંધ રહેતો હતો. આનાથી અહી સતત વાહનોની લાંબી કતારો લાગી રહેતી હતી. સિટી ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ અમૃતસર દ્વારા 32 કરોડ 95 લાખ રૂપિયાના ખર્ચે વર્ષોથી બનાવવામાં આવેલો રેલવે બ્રિજ લોકોની મોટી સમસ્યાઓનું સમાધાન કરશે
આ બ્રિજનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને કોરોના મહામારીને કારણે સમસ્યાઓ નડી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકારે આવતાની સાથે જ કામને વેગ આપ્યો. વલ્લા મંડીના સ્થાનિકોને પુલ ન હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
