Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'મોદીના હનુમાન'નુ અપમાન કરીને હાંક્યાતા લોજપામાંથી, ચિરાગ પાસવાને હરાવ્યા કાકાને, પાછુ મળી શકે છે જૂનુ પ્રતીક

Chirag Paswan: લોકસભા ચૂંટણી 2024માં બિહારના રાજકારણમાં કાકા-ભત્રીજા વચ્ચેની લડાઈ સામે આવી હતી. પશુપતિ પારસ (ચિરાગ પાસવાનના કાકા)એ તેમના ભત્રીજા ચિરાગ પાસવાનની રાજકીય સફરનો અંત લાવવામાં કોઈ કસર છોડી ન હતી. ચિરાગ પાસવાને પણ હાર ન સ્વીકારી અને ભીષણ રાજકીય લડાઈ લડી.

લોકસભા ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે બિહારમાં કાકા કરતા ભત્રીજાની શક્તિ વધારે છે. પશુપતિ કુમાર પારસે કેન્દ્રીય મંત્રી રહીને ચિરાગ પાસવાનને રામવિલાસ પાસેથી વારસામાં મળેલી સીટ જ નહીં પરંતુ બંગલો પણ છીનવી લીધો.

Chirag Paswan

મોદીના હનુમાન ચિરાગ પાસવાને લાંબી રાજકીય લડાઈ લડી અને તેઓ તેમના પિતા દ્વારા વારસામાં મળેલી સીટ જીતીને સાંસદ બન્યા. તેઓ મોદી કેબિનેટ 3.0માં મંત્રી પણ બન્યા. રાજકીય ચક્ર એ રીતે ઘૂમ્યુ કે હવે ચિરાગ પાસવાન એનડીએમાં તેમના કાકા પશુપતિ કુમાર પારસ કરતાં વધુ શક્તિશાળી બની ગયા છે. જ્યારે પારસનું કદ સાવ ઘટી ગયું છે. 14 જૂન 2021 એ દિવસ હતો જ્યારે એલજેપી (રામ વિલાસની લોક જનશક્તિ પાર્ટી) વિખેરી નાખવામાં આવી હતી.

એલજેપીના પાંચ સાંસદો (પશુપતિ પારસ, વીણા દેવી, ચંદન સિંહ, પ્રિન્સ રાજ અને ચૌધરી મહેબૂબ અલી કૌસર) એ મળીને ચિરાગ પાસવાનને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી હટાવી દીધા હતા અને તેમને પાર્ટીના અન્ય હોદ્દા પરથી પણ હટાવ્યા હતા. તેઓએ ચિરાગ પાસવાનના કાકા પશુપતિ પારસને તેમના નેતા તરીકે પસંદ કર્યા.

7 જુલાઈ 2021ના રોજ પશુપતિ પારસને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ પછી, ચિરાગ પાસવાન કેન્દ્રીય રાજનીતિથી દૂર થતાં જ રાજ્યની રાજનીતિથી દૂર થવા લાગ્યા. ચિરાગને તેના પિતા રામવિલાસ પાસવાનના નામે મળેલો બંગલો પણ ખાલી કરવો પડ્યો હતો.

ચિરાગ સંપૂર્ણપણે બેકફૂટ પર હતા, એવું લાગી રહ્યું હતું કે હવે ચિરાગ રાજકીય દાવ રમી શકશે નહીં. પશુપતિ પારસ રામવિલાસ પાસવાનના વારસાને સંપૂર્ણપણે કબજે કરવામાં વ્યસ્ત હતા. ચિરાગની બિહારમાં સીએમ નીતિશ કુમાર સાથે રાજકીય લડાઈ પણ થઈ હતી.

કૌટુંબિક ઝઘડાનો સામનો કરવા છતાં, ચિરાગે પડકારોનો સામનો કર્યો અને પોતાની ઓળખ બનાવવાનું શરૂ કર્યું. લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગતાની સાથે જ ચિરાગે મક્કમતાથી ચાર્જ સંભાળી લીધો અને પોતાને પીએમ મોદીના હનુમાન સાબિત કરવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે તેમની પાર્ટી એલજેપી (આર) ને એનડીએમાંથી 5 બેઠકો મળી.

પીએમ મોદીએ પશુપતિ પારસને રાજ્યપાલ બનાવવાની લોલીપોપ આપીને શાંત પાડ્યા હતા. ચિરાગની પાર્ટીએ તમામ પાંચ બેઠકો જીતી લીધી અને ચિરાગ પાસવાને તેમના પિતાની વારસો હાજીપુર બેઠક પરથી જીતીને પીએમ મોદીના હનુમાન સાબિત થયા.

પશુપતિ પારસ હવે એ જ હાલતમાં છે, જે સ્થિતિમાં તેમણે ચિરાગને છોડી દીધો હતો. ચિરાગ પાસેથી જે બંગલો છીનવી લેવાયો હતો તે હવે તેને પાછો મળી શકે છે. કારણ કે ચિરાગ મોદી કેબિનેટમાં મંત્રી બની ગયા છે. 3 વખત સાંસદ ચૂંટાયા. પારસના કબજામાં આવેલો બંગલો મંત્રીનો છે અને પારસ હવે મંત્રી નથી.

પાર્ટી સિમ્બોલની વાત કરીએ તો ચિરાગ પાસવાન અને પારસનું પાર્ટી સિમ્બોલ ફ્રીઝ છે. જો ચિરાગ પાસવાન પ્રતીક માટે અરજી કરે અને જો પારસ વિરોધ ન કરે તો ચિરાગને તે જૂનું પ્રતીક મળી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X