કાકાની બગાવત બાદ હવે બિહારમાં 'આશિર્વાદ યાત્રા' કાઢશે ચિરાગ
કાકાની બગાવત બાદ હવે બિહારમાં 'આશિર્વાદ યાત્રા' કાઢશે ચિરાગ
સ્વર્ગીય રામવિલાસ પાસવાનના ભાઈ પશુપતિ કુમાર પારસે હાલમાં જ જન લોકશક્તિ પાર્ટીને સંપૂર્ણપણે પોતાના કબ્જામાં લઈ લીધી હતી. સાથે જ તે પાર્ટીના સંસદીય દળના નેતા અને રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બની ગયા. જે બાદ તેમના ભત્રીજા ચિરાગ પાસવાને પણ મોર્ચો ખોલી દીધો. સાથે જ કાકાના ખેમા વિરુદ્ધ લૉબિંગ શરૂ કરી દીધું. આવી જ રીતે દિલ્હીમાં રવિવારે એલજેપીના વરિષ્ઠ નેતાઓ સાથે તેમની બેઠક થઈ. જેમાં પશુપતિ પારસના અધ્યક્ષ બનવાની પ્રક્રિયાને અસંવૈધાનિક જણાવવામાં આવી.

બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા ચિરાગે કહ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં વધુ સભ્ય હાજર હતા. તમામે સસ્પેન્ડેડ નેતાઓ દ્વારા પાર્ટીના ચિહ્ન અને નામના ઉપયોગને ખોટું ગણાવ્યું. આ ઉપરાંત બેઠકમાં રામવિલાસ પાસનને ભારત રત્ન આપવા અને તેમની એક વિશાળ પ્રતિમા બિહારમાં સ્થાપિત કરવાની માંગ કરવામાં આવી. ચિરાગે આગળ કહ્યું કે મારા પિતાની જયંતી 5 જુલાઈએ આવે છે. મારા પિતા અને કાકા હવે મારી સાથે નથી, માટે તેમણે 5 જુલાઈથી હાજીપુરથી આશિર્વાદ યાત્રા કાઢવાનો ફેસલો લીધો છે. આ યાત્રા બિહારના તમામ જિલ્લામાંથી પસાર થશે, કેમ કે તેમને લોકોના પ્રેમ અને આશિર્વાદની જરૂરત છે.
કાકા શું કહી રહ્યા છે?
જણાવી દઈએ કે આ બધો ખેલ કેન્દ્રીય મંત્રિમંડળમાં જગ્યા મેળવવાનો છે, કેમ કે રામવિલાસ પાસવાનના નિધન બાદથી એલજેપીનો ક્વોટા ખાલી છે. હાલમાં જ મીડિયા સાથે વાત કરતા પશુપતિ પારસે કહ્યું હતું કે ચિરાગ હવે અધ્યક્ષ નથી રહી ગયા. રાષ્ટ્રીય કાર્યકારિણીએ તેમને પસંદ કર્યા છે, તેમની પાસે ચૂંટણી અધિકારીનું પ્રમાણપત્ર પણ છે. એવામાં તેઓ ચૂંટણી પંચને બધા સબૂત સોંપશે. જ્યારે કેન્દ્રીય મંત્રિમંડળમા કોને જગ્યા મળવાની છે તે વાત વડાપ્રધાન મોદી ખુદ નક્કી કરશે.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો










Click it and Unblock the Notifications
