દુનિયામાં ઇસાઇયો પાસે સૌથી વધુ સંપત્તિ; હિન્દુ, મુસ્લિમ પાછળ : રિપોર્ટ
નવી દિલ્હી, 15 જાન્યુઆરી : હિન્દુ, મુસ્લિમ, સીખ, ઇસાઇ વગેરે ધર્મો સર્વધર્મ સમભાવ અને વિશ્વશાંતિનો સંદેશો આપે છે. આમ છતાં ધર્મો વચ્ચે પોતાના અનુયાયીઓ વધારવા અને વિશ્વમાં વર્ચસ્વ સ્થાપવાની હોડ છે. આ સંદર્ભમાં તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં વિશ્વના કયા ધર્મ પાસે સૌથી વધારે સંપત્તિ છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ અભ્સાસના તારણ અનુસાર વિશ્વમાં ઇસાઇ એટલે કે ખ્રિસ્તી ધર્મ પાસે સૌથી વધારે સંપત્તિ છે. ત્યાર બાદ મુસ્લિમ ધર્મ અને હિન્દુ ધર્મનો નંબર આવે છે. મહત્વની બાબત એ છે કે સંપત્તિનો એક મોટો હિસ્સો એવી વ્યક્તિઓ પાસે છે જે કોઇ ધર્મમાં માનતી નથી. જેને દુનિયા નાસ્તિક તરીકે ઓળખે છે.
આ અભ્યાસ ન્યુ વર્લ્ડ વેલ્થ દ્વારા કરવામાં આવ્યો હતો. તેના રિપોર્ટ અનુસાર ધર્મને આધારે વધુ સંપત્તિ ધરાવતી વ્યક્તિઓ (જેમની કુલ સંપત્તિ 10 લાખ ડોલર કે તેથી વધુ છે)માં ઇસાઇ ધર્મ પાળનારી વ્યક્તિઓનો દબદબો છે. ત્યાર બાદ મુસ્લિમ અને હિન્દુ ધર્મ પાળતી વ્યક્તિઓ આવે છે.
કયા ધર્મ પાસે કેટલી સંપત્તિ છે તે જાણવા આગળ ક્લિક કરો...

ઇસાઇયો
કુલ સંપત્તિ : 1,07,280 અબજ ડોલર
કુલ વૈશ્વિક સંપત્તિમાં હિસ્સો : 55 ટકાથી વધારે

મુસ્લિમ
કુલ સંપત્તિ : 11,336 અબજ ડોલર
કુલ વૈશ્વિક સંપત્તિમાં હિસ્સો : 5.8 ટકાથી વધારે

હિન્દુ
કુલ સંપત્તિ : 6,505 અબજ ડોલર
કુલ વૈશ્વિક સંપત્તિમાં હિસ્સો : 3.3 ટકાથી વધારે

યહૂદી
કુલ સંપત્તિ : 2079 અબજ ડોલર
કુલ વૈશ્વિક સંપત્તિમાં હિસ્સો : 1.1 ટકાથી વધારે

નાસ્તિક
કુલ સંપત્તિ : 67,832 અબજ ડોલર
કુલ વૈશ્વિક સંપત્તિમાં હિસ્સો : 34.8 ટકાથી વધારે

ધર્મો મુજબ અબજ પતિઓ
ઇસાઇ - 73,84,689 (56.2 ટકા)
મુસ્લિમ - 88,54,100 (6.5 ટકા)
હિન્દુ - 5,12,460 (3.9 ટકા)
યહૂદી - 2,23,380 (1.7 ટકા)
નાસ્તિક - 41,65,380

વિશ્વમાં કુલ વ્યક્તિગત સંપત્તિ
વિશ્વમાં કુલ વ્યક્તિગત સંપત્તિ 1,95,000 અબજ ડોલર છે. તેમાં અબજોપતિઓ પાસે 66,000 અબજ ડોલરની સંપત્તિ છે.

અમીર દેશો
વિશ્વના સૌથી 10 અમીર દેશોમાંથી સાત દેશોમાં ઇસાઇયોનો દબદબો છે. જેમાં અમેરિકા, બ્રિટન, જર્મની, સ્વીત્ઝરલેન્ડ, કેનેડા, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના ત્રણ દેશો ચીન, જાપાન અને ભારતમાં ઇસાઇયોનો દબદબો નથી.

ન્યુ વર્લ્ડ વેલ્થનો અભ્યાસ
આ અભ્યાસ ન્યુ વર્લ્ડ વેલ્થ દ્વારા કરવામાં આવ્યો હતો. તેના રિપોર્ટ અનુસાર ધર્મને આધારે વધુ સંપત્તિ ધરાવતી વ્યક્તિઓ (જેમની કુલ સંપત્તિ 10 લાખ ડોલર કે તેથી વધુ છે)માં ઇસાઇ ધર્મ પાળનારી વ્યક્તિઓનો દબદબો છે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા






Click it and Unblock the Notifications
