સર્વેઃ મોદી સરકારના 4 વર્ષ, 57% લોકો સરકારના કામથી સંતુષ્ટ
હાલમાં જ સિટીઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ લોકલ સર્કલે હાલમાં જ એક સર્વે કર્યો છે. સર્વે મુજબ આગામી ચૂંટણીમાં મોદી સરકારને સત્તા વિરોધી લહેરનો પણ સામનો કરવો પડી શકે છે.
કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારના ચાર વર્ષ પૂરા થવા આવી રહ્યા છે. લોકોને સારા દિવસોના વચન આપીને સત્તામાં આવેલ મોદી સરકારની લોકપ્રિયતામાં હાલમાં જ ઘણો ઘટાડો થયો છે. ભાજપે 2019 ની લોકસભા ચૂંટણીઓની તૈયારીઓને ધાર આપવા માટે '48 વર્ષ સામે 48 મહિના' નો નારો આપ્યો છે. હાલમાં જ સિટીઝન એન્ગેજમેન્ટ પ્લેટફોર્મ લોકલ સર્કલે હાલમાં જ એક સર્વે કર્યો છે. સર્વે મુજબ આગામી ચૂંટણીમાં મોદી સરકારને સત્તા વિરોધી લહેરનો પણ સામનો કરવો પડી શકે છે.

લોકપ્રિયતામાં ઘટાડો
સર્વેમાં ઘણા મોરચા મોદીની વિરુદ્ધમાં દેખાઈ રહ્યા છે. વળી, જીએસટી અને નોટબંધી જેવા મુદ્દાઓ પર પીએમ મોદીને થોડી રાહત મળી છે. સર્વે મુજબ છેલ્લા બે વર્ષોમાં મોદી સરકારના કામો પર સંતુષ વ્યક્ત કરનારા લોકોમાં 7% નો ઘટાડો થયો છે. આ ઘટાડો સતત ચાલુ છે. સર્વેમાં ભાગ લેનારા 57% લોકો નરેન્દ્ર મોદી સરકારના કામકાજથી સંતુષ્ટ છે. ગયા વર્ષે 2016માં 64% લોકોએ સરકારના કામકાજમાં સંતોષ વ્યક્ત કર્યો હતો. વળી, 61% લોકો મોદી સરકારના કામકાજથી ખુશ હતા. પરંતુ 2017 માં આ બંને આંકડામાં 4% ઘટાડો જવા મળ્યો છે.

સાંપ્રદાયિકતાના મુદ્દે બે વર્ષમાં 13% નો ઘટાડો
સાંપ્રદાયિકતા સાથે લડવાના મોદી સરકારના સંકલ્પ પર લોકોના વિશ્વાસમાં ઘટાડો થયો છે. સરકારના બે વર્ષ પૂરા થવા પર કરાયેલ સર્વેક્ષણમાં 63% લોકોએ સાંપ્રદાયિકતા સાથે જોડાયેલા મુદ્દાઓને સંભાળવામાં મોદી સરકાર દ્વારા કરાયેલા પ્રયાસો વિશે સંતુષ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ વર્ષે આ આંકડો ઘટીને 50% રહી ગયો. આ મુદ્દા પર 13% ઘટાડો થયો છે. આગામી ચૂંટણીઓમાં કૃષિ સંકટ એક બીજુ ક્ષેત્ર છે જે મોદી સરકાર માટે એક ચિંતાનો વિષય બની શકે છે. સર્વેક્ષણમાં લગભગ 47% લોકોએ કહ્યુ કે મોદી સરકારના કાર્યકાળ દરમિયાન ખેડૂતોની સ્થિતિમાં સુધાર થયો નહિ. જો કે, 37% લોકોનું માનવુ હતુ કે ખેડૂતોની સ્થિતમાં હવે ઘણો સુધાર થઈ રહ્યો છે.

ત્રણ ચતુર્થાંશ લોકોએ ભારતની પાકિસ્તાન વિરોધી નીતિનું સમર્થન કર્યુ
સર્વેમાં દર 10 માંથી 6 લોકોનું માનવુ છે કે મોદી પોતાના વચનો પૂરા કરવામાં સફળ રહ્યા. સર્વેમાં શામેલ લોકોમાં ત્રણ ચતુર્થાંશ લોકોએ ભારતની પાકિસ્તાન વિરોધી નીતિનું સમર્થન કર્યુ છે. સર્વે મુજબ 54% લોકો માને છે કે ટેક્સ ટેરરિઝમ ઘટ્યુ છે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) યોજના સફળ રહી છે. સર્વેમાં મોદી સરકારને સૌથી મોટી રાહત જીએસટી અને નોટબંધીના મોરચે મળી છે. 32% લોકોનું કહેવુ છે કે જીએસટી પછી તેમનો રોજિંદો ખર્ચ ઘટ્યો છે. 60% લોકોનું માનવુ છે કે કિંમતોમાં કોઈ બદલાવ નથી થયો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
