કેપ્ટન અમરિંદર સિંહને મળવા પહોંચ્યા સીએમ ચન્ની, અટકળો શરૂ!
પંજાબમાં ગુરુવારે ફરી એકવાર રાજકીય ઉછલપાથલ જોવા મળી. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મોહાલીના સિસ્વાનમાં કેપ્ટન અમરિંદર સિંહના ફાર્મ હાઉસે મુલાકાતે પહોંચ્યા છે.
મોહાલી, 14 ઓક્ટોબર : પંજાબમાં ગુરુવારે ફરી એકવાર રાજકીય ઉછલપાથલ જોવા મળી. પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ મોહાલીના સિસ્વાનમાં કેપ્ટન અમરિંદર સિંહના ફાર્મ હાઉસે મુલાકાતે પહોંચ્યા છે. મુખ્યમંત્રી બન્યા બાદ કેપ્ટન સાથે ચન્નીની આ પ્રથમ મુલાકાત છે. સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે તેમના પુત્ર અને પુત્રવધૂ પણ ગયા છે. કેપ્ટન અમરિંદર સિંહે ચન્નીના શપથ ગ્રહણ કાર્યક્રમ અને પુત્રના લગ્નથી અંતર રાખ્યું હતું, પરંતુ અચાનક આ બેઠકથી પંજાબમાં ફરી અટકળોનો રાઉન્ડ શરૂ થયો છે.

કેપ્ટન અમરિંદર સિંહ અને ચરણજીત સિંહ ચન્નીની બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે નવજોત સિંહ સિદ્ધુ ગુરુવારે દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ હાજર થશે, જ્યારે તેના પહેલા જ ચન્ની અને કેપ્ટનની બેઠકના સમાચારે રાજકીય તાપમાન વધાર્યુ છે. મુખ્યમંત્રી પદ ગુમાવ્યા બાદ અમરિંદર સિંહ સતત સિદ્ધુ અને કોંગ્રેસ વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે. તાજેતરમાં અમરિંદર સિંહે BSF ને સશક્ત બનાવવાના કેન્દ્રના પગલાને ટેકો આપ્યો હતો.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે હવે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદથી 50 કિલોમીટર અંદર સુધી બીએસએફને તપાસ અને ધરપકડ કરવાની સત્તા આપી છે. અગાઉ આ રેન્જ 15 કિમી સુધી મર્યાદિત હતી. હવે તેને 15 થી 50 કિમી સુધી વધાર્યા બાદ પંજાબમાં રાજકીય ગરમાવો શરૂ થયો છે. તાજેતરમાં સીએમ બનેલા ચરણજીત સિંહ ચન્નીએ કેન્દ્ર પાસેથી નિર્ણય તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી હતી, જ્યારે પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરે કેન્દ્રના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે.
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ કેપ્ટન અમરિંદર સિંહે અનેક પ્રસંગોએ સીએમ ચન્નીની પ્રશંસા કરી છે. કેપ્ટને ચન્નીને એક ઉત્તમ અને ભણેલા ગણેલા મંત્રી ગણાવ્યા હતા. જો કે આ સમય દરમિયાન તેને કહ્યું હતું કે ચન્નીને ગૃહ બાબતોની ઓછી સમજ છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે સીએમ ચન્ની અને અમરિંદર સિંહ કયા મુદ્દે મળ્યા છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
