અજિત પવારના આવાથી શિંદે ગૃપમાં નથી નારાજગી, સીએમએ રાજીનામાની અટકળોને ફગાવી
એનસીપી નેતા અજીત પવારની પોતાના ધારાસબ્યો સાથે સરકારમાં એન્ટ્રી બાદ શિવસેનાના શિદે ગૃપમાં ધારાસભ્યોમાં બેચેની છે., ત્યાર બાદ એકનાથ શિંદેએ પોતાની ગૃપના નેતાઓને સાંજે બેઠકમાં બોલાવ્યા હતા. જે મોડી રાત્ સુધી ચાલી હતી.

મહારાષટ્ર અત્યારે રાજકીય હલચલ મંચેલી છે. અજિત પવાર ગૃપની સરકારમાં શામેલ થયા બાદ એનસીપીના બંને ગૃપ શરદ-અજીત ના નેતાઓમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે બુધવારે સાંજે સીએમ શિંદે પણ પોતાના ધારાસભ્યો અને સાસંદની મહત્વની બેઠક બોલાવી હતી.
એકનાથ શિદેના મુબઇ સ્થિત આવાસ વર્ષા બંગલામાં શિવસેના નેતાઓની બેઠક પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે સ્પષ્ટ કહ્યુ હતુ કે, ક્યાંય અણારા ધારાસભ્યોમાં કોઇ નારાજગી નથી. તેમણે કહ્યુ કે, સીએણ એકનાથ શિંદેના નેતૃત્વમાં લોકસભાનાઆગામી સત્ર, મહારાષ્ટ્ર વિધાનસભાના સત્ર, વિધાનસભાને લઇને બેઠક બોલાવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એકનાથ શિંદે પર ભરોષો છે. તેમના રાજીનામાની વાત અફવા છે. તમામ સાસંદો અને ધારાસભ્યોના ચૂટણી એકનાથ શિદેના નેતૃત્વામાં થશે. સૂત્રો અનુસાર બેઠકમાં એકનાથ શિંદે સ્પષ્ટ કહ્યુ છે કે, રાજીનામું નથી આપી રહ્યો. મને ખબર છે કે, આ પ્રકારની ખબર કોણ ચલાવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
