એશિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાંથી દિલ્લી બહાર, જાણો CM કેજરીવાલે શું કહ્યુ
દિલ્લીમાં વધતા વાયુ પ્રદૂષણને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તેમની સરકાર દિલ્લીને પ્રદૂષણ મુક્ત બનાવવા સાથે-સાથે દુનિયાનુ સૌથી સારુ શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
દિલ્લીમાં વધતા વાયુ પ્રદૂષણને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તેમની સરકાર દિલ્લીને પ્રદૂષણ મુક્ત બનાવવા સાથે-સાથે દુનિયાનુ સૌથી સારુ શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારના પ્રયાસો વિશે સીએમ કેજરીવાલે કહ્યુ કે, થોડા વર્ષો પહેલા દિલ્લીમાં પ્રદૂષણ વિશ્વમાં સૌથી વધુ હતુ. ભારતની રાષ્ટ્રીય રાજધાની દિલ્લી પહેલા વિશ્વનુ સૌથી પ્રદૂષિત શહેર હતુ પરંતુ હવે એવુ રહ્યુ નથી.

સીએમ કેજરીવાલે પ્રદૂષણ મુક્ત થવાના પ્રયાસો વિશે જણાવ્યુ કે, દિલ્લીના લોકોએ સખત મહેનત કરી. આજે આપણે ઘણો સુધારો કર્યો છે. તેમણે કહ્યુ ક, દિલ્લીમાં પ્રદૂષણના સ્તરમાં સુધારો થયો હોવા છતા આપણે હજી ઘણી લાંબી મંજિલ કાપવાની છે. કેજરીવાલે કહ્યુ કે અમે સખત મહેનત કરવાનુ ચાલુ રાખીશું જેથી કરીને અમે વિશ્વના શ્રેષ્ઠ શહેરોમાં સ્થાન મેળવી શકીએ. ગ્રાફની મદદથી આંકડાઓ બતાવતા સીએમ કેજરીવાલે કહ્યુ કે, બે ગ્રાફ દર્શાવે છે કે કેવી રીતે દિલ્લીવાસીઓના સતત પ્રયાસોને કારણે વર્ષોથી પ્રદૂષણમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમણે કહ્યુ કે તેઓ દિલ્લીને વિશ્વનુ શ્રેષ્ઠ શહેર બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
નોંધનીય છે કે સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યુ. જેમાં તેમણે સોમવારે એક રિપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે એશિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાંથી 8 ભારતના છે. દિલ્લી આ યાદીમાં નથી. મુખ્યમંત્રીએ ટ્વિટર પર એક મીડિયા રિપોર્ટ શેર કર્યો અને કહ્યુ કે હજુ લાંબી મંજિલ કાપવાની છે. દિલ્લીવાસીઓના સહકારથી અમે ભારતની રાષ્ટ્રીય રાજધાનીને વિશ્વનુ શ્રેષ્ઠ શહેર બનાવીશુ.
અલગ-અલગ સ્તરના પ્રદૂષણને લઈને ભીંસમાં રહેલી કેજરીવાલ સરકારે ધાર્મિક આસ્થા અને ભાવનાઓને ધ્યાનમાં રાખીને યમુના નદીના કિનારે છઠ પૂજાનુ આયોજન કરવાની મંજૂરી આપી છે. છઠ મહાપર્વના સંદર્ભમાં સીએમ અરવિંદ કેજરીવાલે અધિકારીઓને યમુના પ્રદૂષિત ન થાય તે માટે તમામ વ્યવસ્થા કરવા સૂચના આપી છે. દિલ્nrve મહેસૂલ મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યુ, 'આ વખતે દિલ્લીના તમામ 1100 ઘાટ પર છઠ પૂજાની ભવ્ય ઉજવણી સુનિશ્ચિત કરવામાં આવશે. તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચના આપવામાં આવી છે કે યમુના નદીમાં કોઈ પ્રદૂષિત સામગ્રી ડૂબી ન જાય એ માટે વધારાના પગલાં લેવામાં આવે. NGT દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનુ પાલન થાય તે સુનિશ્ચિત કરવા માટે છઠ પૂજા સ્થળ પર બેનરો, પોસ્ટરો, ઑડિયો સંદેશા જેવા પગલાં લેવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે.'












Click it and Unblock the Notifications
