શહીદ ભગત સિંહની જન્મજયંતિ પર તેમના વતન પહોંચ્યા CM માન, કરી આ મોટી જાહેરાત
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે શહીદ ભગત સિંહની જન્મજયંતિ પર તેમના મૂળ ગામ ખટકર કલાનની મુલાકાત લીધી હતી. અહીં આવીને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.
ખટકર કલાન : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજે શહીદ ભગત સિંહની જન્મજયંતિ પર તેમના મૂળ ગામ ખટકર કલાનની મુલાકાત લીધી હતી. અહીં આવીને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શહીદ ભગત સિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે લોકોને શહીદ ભગતસિંહના માર્ગ પર ચાલવાનો સંદેશ આપ્યો હતો. આ પછી મુખ્યમંત્રી ભગવંત માને પણ પંજાબમાં શહીદ ભગત સિંહ રાજ્ય યુવા પુરસ્કાર શરૂ કરવાની જાહેરાત કરી હતી. સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, આ એવોર્ડ હેઠળ 46 યુવાનોને 51 હજારની ઈનામી રકમ આપવામાં આવશે.

પંજાબની શાળાઓમાં આજે રજા નથી
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, ભગત સિંહ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે કહ્યું કે, આજે પંજાબની શાળાઓમાં રજા નથી. આજે શાળાઓમાં બાળકોને શહીદ ભગતસિંહ વિશે ભણાવવામાં આવે છે.

આ ગામમાં મુખ્યમંત્રી પદના શપથ લેવાયા
ઉલ્લેખનીય છે કે, ખટકર કલાનમાં જ ભગવંત માનનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. અહીં તેમણે પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથલીધા હતા.
ત્યારે માને કહ્યું હતું કે, હું શક્ય તેટલા લોકોને શપથ ગ્રહણ સમારોહ માટે 16 માર્ચના રોજ ખટકર કલાન પહોંચવા વિનંતી કરું છું. તેણે કહ્યું કે, બધાએ આવવું જ જોઈએ.
|
શહીદ સ્મારક ખાતે મુખ્યમંત્રી પદના શપથ લેશે
હકીકતમાં, આ વર્ષે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત બાદ જ ભગવંત માને જાહેરાત કરી હતી કે, તેઓ રાજધાની ચંદીગઢમાં નહીં, પરંતુ શહીદ-એ-આઝમના ગામમાં તેમના ભગતસિંહ શહીદ સ્મારક પર મુખ્યમંત્રી પદના શપથ લેશે.












Click it and Unblock the Notifications
