મહારાષ્ટ્રમાં આજે CM ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન થઈ શકે

મહારાષ્ટ્રમાં આજે CM ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન થઈ શકે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણીને લઈ મહાવિકાસ અઘાડીમાં સામેલ શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની વચ્ચે ચાલી રહેલ ખેંચતાણ ઘટતી જોવા મળી રહી છે, ત્રણેય દળોના નેતાઓએ વિભાગોની વહેંચણીને અંતિમ રૂપ દેવા માટે વર્ષના પહેલા દિવસે કેટલીય બેઠકો કરી, જે બાદ આજે મંત્રીઓના વિભાગોનું એલાન થઈ શકે છે.

આજે ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન?

આજે ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન?

અગાઉ સોમવારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું પરંતુ ખેંચતાણને કારણે જ વિભાગ વહેંચી નહોતા શકતા, જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હવે મંત્રી પરિષદના સભઅયોની સંખ્યા વધીને 43 થઈ ગઈ છે, જેમાં મુખ્યમંત્રીનું પદ પણ સામેલ છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહી આ વાત

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહી આ વાત

જણાવી દઈએ કે અગાઉ અહેવાલ આવ્યા હતા કે કોંગ્રેસ આ વાતથી નારાજ છે કે તેને કૃષિ અને સહકારિતા જેવા ગ્રામીણ ક્ષેત્રોથી સંબંધિત કોઈપણ વિભાગ નથી મળ્યો, જો કે કાલે મોડી સાંજે કેટલીય બેઠકો કર્યા બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમારા ગઠબંધનના બધા નેતા ખુશ છે, કોઈપણ પ્રકારનો મતભેદ નથી.

પોર્ટફોલિયોને લઈ કોઈપણ દુખી નથી

પોર્ટફોલિયોને લઈ કોઈપણ દુખી નથી

અજિત પવારે કહ્યું કે અમે બેઠકમાં આ નક્કી કર્યું છે કે કયા મંત્રીને કઈ જવાબદારી આપવી જોઈએ. મંત્રીઓના પોર્ટફોલિયોથી કોંગ્રેસ અને એનસીપીમાં નાખુશીના સવાલ પર અજીત પવારે કહ્યું કે પોર્ટફોલિયો પર ગુરુવારે આદેશ જારી કરવામાં આવી શકે છે કોઈપણ આનાથી દુખી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X