CBIએ સ્વીકાર્યું કોલસા કૌભાંડ કેસમાં થઇ છે SCના આદેશની અવગણના
સંસદના બંને ગૃહોમાં આ મુદ્દાને લઇને આજે ખૂબ જ મોટો હોબાળો થયો હતો જેને લઇને બંને ગૃહોમાં કાર્યવાહીને સ્થગિત કરવી પડી હતી. ભાજપાએ પોતાના હુમલાને વેગ આપતા જણાવ્યું કે સીબીઆઇ નિર્દેશકના સોગંધનામા બાદ સરકાર ઉઘાળી પડી ગઇ છે. સીબીઆઇએ સુપ્રીમ કોર્ટનું અપમાન કર્યું છે. દેશ જાણવા માગે છે કે કોલસા ઘોટાળાની તપાસ સીબીઆઇ કરી રહી છે કે સરકાર કરી રહી છે. ભાજપાએ જણાવ્યું કે જેઓ તપાસના ઘેરામાં હતા તેમને જ તપાસ રિપોર્ટ બતાવવામાં આવી.
સુપ્રીમ કોર્ટે ગયા મહીને આપેલો પોતાનો રિપોર્ટમાં સીબીઆઇએ જણાવ્યું હતું કે સરકારે કંપનીયોએ નાણાકિય અને બીજા રેકોર્ડ્સને યોગ્ય રીતે ન્હોતું જોયું, જેના કારણે સરકારને તેના લાઇસન્સ વહેચણીમાં નુકસાન થયું. સરકારની મુશ્કેલીઓ એટલા માટે વધી છે, કારણ કે જે સમયનો આ મામલો છે એ સમય દરમિયાન કોલસા મંત્રાલયનો કાર્યભાર ખુદ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પાસે હતો.