વન નેશન, વન ઈલેક્શન માટે કમિટી બનાવાઈ, જાણો સમિતીમાં કોના નામ?
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હાલમાં જ વિપક્ષોને જાણ કર્યા વગર સંસદના વિશેષ સત્રની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ અટકળો શરૂ થઈ છે કે નરેન્દ્ર મોદી સરકાર સંસદમાં વન નેશન વન ઈલેક્શન બીલ લાવવા જઈ રહી છે. હવે આનાથી આગળ કમિટી બનાવાઈ છે.
કેન્દ્ર સરકારે શનિવારે એક રાષ્ટ્ર, એક ચૂંટણી મુદ્દે તપાસ માટે મુદ્દેની તપાસ કરવા અને દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણો માટે 8 સભ્યોની એક કમિટીની રચના કરી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે રામનાથ કોવિંદની પસંદગી કરાઈ છે.

આ કમિટીમાં રાષ્ટ્રપતિ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, નાણા પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ એન.કે. સિંહ, ભૂતપૂર્વ લોકસભા મહાસચિવ સુભાષ, સી. કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને ભૂતપૂર્વ ચીફ વિજિલન્સ કમિશનર સંજય કોઠારીનો સમાવેશ કરાયો છે.
આ સિવાય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલ આ હાઈ લેવલ કમિટીમાં વિશેષ આમંત્રિત તરીકે હાજરી આપશે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણીના થોડા મહિના પહેલા આ સમિતિની રચના કરવામાં આવી છે.
સંસદીય મત્રી પ્રહલાદ જોશીએ સમિતિની રચના વિશે માહિતી આપતા જણાવ્યુ કે, હાલમાં જ એક કમિટીની રચના કરવામાં આવી છે. કમિટિનો રિપોર્ટ આવશે તેના પર ચર્ચા કરવામાં આવશે. સંસદ પરિપક્વ છે અને ચર્ચા થશે, ગભરાવાની જરૂર નથી. ભારતને લોકશાહીની માતા કહેવામાં આવે છે. ત્યાં હંમેશા વિકાસ થતો રહે છે. હું સંસદના વિશેષ સત્રના એજન્ડા પર ચર્ચા કરીશ.












Click it and Unblock the Notifications
