તમિલ સુપરસ્ટાર રજનીકાંત સામે આ કારણે નોંધાઈ ફરિયાદ
સુપરસ્ટાર રજનીકાંતને તંથાઈ પેરિયાર સામે નિવેદન આપવુ ભારે પડી શકે છે. કોઈમ્બતુરમાં દ્રવિડર વિદધૂથલાઈ કઝગમે રજનીકાંત સામે કાર્યવાહીની માંગ કરી છે.
સુપરસ્ટાર રજનીકાંતને તંથાઈ પેરિયાર સામે નિવેદન આપવુ ભારે પડી શકે છે. કોઈમ્બતુરમાં દ્રવિડર વિદધૂથલાઈ કઝગમે રજનીકાંત સામે કાર્યવાહીની માંગ કરી છે. ડીવીકે તરફથી તમિલ સુપરસ્ટાર રજનીકાંત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. તેમની સામે આ ફરિયાદ તંથાઈ પેરિયાર સામે કરવામાં આવેલી ટિપ્પણીના કારણે કરવામાં આવી છે. ફરિયાદમાં રજનીકાંત સામે આઈપીસીની ધારા 153એ હેઠળ કેસ કરવાની માંગ કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે રજનીકાંતની ફિલ્મ દરબાર હાલમાં થિયેટરોમાં છે અને લોકો તેને ઘણી પસંદ કરી રહ્યા છે. સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ 9 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ ચૂકી છે અને આના માટે ફેન્સ ઘણા ઉત્સાહિત છે. ફિલ્મને હિટ કરાવવા માટે રજનીકાંતના ફેન્સે થાળી કે પ્લેટ વિના લાદી પર જમ્યા હતા, આ પ્રથાને સ્થાનિક ભાષામાં 'માન સોરુ' કહેવામાં આવે છે. એક ફેને જણાવ્યુ કે રજનીકાંતની ફિલ્મને હિટ કરાવવા માટે એ બધાએ 15 દિવસ સુધી ઉપવાસ રાખ્યો અને પછી માન સોરુ કર્યુ.
આ પણ વાંચોઃ મહાત્મા ગાંધીને ભારત રત્ન આપવા માટે SCમાં અરજી, કોર્ટે કહ્યુ, તેઓ એનાથી પણ પરે