કોંગ્રેસ અમરિંદરનો ગુસ્સો સ્વીકાર્ય છે, પરંતુ 'રાહુલ-પ્રિયંકા' માટે માત્ર આટલુ જ ઇચ્છે છે પાર્ટી

કોંગ્રેસને લાગે છે કે, આ શબ્દો કેપ્ટનના વ્યક્તિત્વને અનુકૂળ નથી. જો કે, પાર્ટીએ તેમના પક્ષ છોડવાના પ્રશ્નો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, "જો કોઈને છોડવું હોય તો, અમે તેના પર ટિપ્પણી કરતા નથી.

નવી દિલ્હી : કોંગ્રેસે ગુરુવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સામેના રોષ ઠાલવતું નિવેદન ગણાવ્યું અને પાર્ટીએ આશા વ્યક્ત કરી કે, તેઓ તેમના શબ્દો પર ફરી વિચાર કરે. બુધવારના રોજ તેણે બંને ભાઈ-બહેનોને 'બિનઅનુભવી' ગણાવ્યા હતા. તેમણે નવજોત સિંહ સિદ્ધુ વિશે પણ ઘણું કહ્યું હતું.

કોંગ્રેસને લાગે છે કે, આ શબ્દો કેપ્ટનના વ્યક્તિત્વને અનુકૂળ નથી. જો કે, પાર્ટીએ તેમના પક્ષ છોડવાના પ્રશ્નો પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, "જો કોઈને છોડવું હોય તો, અમે તેના પર ટિપ્પણી કરવા માંગતા નથી". જો કે, કેપ્ટનનું વલણ હજૂ પણ કડવું છે અને તેમણે કોંગ્રેસ પાર્ટી પર પણ આ જ રીતે વળતો પ્રહાર કર્યો છે.

Supriya Shrinate

આશા છે કે કેપ્ટન તેમના શબ્દો પર પુનર્વિચાર કરશે - કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે અમરિંદર સિંહના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેઓ વૃદ્ધ છે અને ગુસ્સામાં બોલ્યા હશે. 'તેઓ અમારા વડીલો છે અને વડીલો ઘણીવાર ગુસ્સે થાય છે અને ઘણું બોલે છે. અમે તેમની નારાજગી, ઉંમર અને અનુભવને માન આપીએ છીએ. અમને આશા છે કે તે તેના શબ્દો પર પુનર્વિચાર કરશે,

પરંતુ રાજકારણમાં ગુસ્સો, ઈર્ષ્યા, દુશ્મનાવટ, બદલો અને વ્યક્તિગત હુમલાઓ અને રાજકીય વિરોધીઓ સામે ટિપ્પણી માટે કોઈ સ્થાન નથી. તેમણે કેપ્ટન માટે એમ પણ કહ્યું કે, 'અમે તેમના શબ્દો પર પુનર્વિચાર કરવાની અને શાણપણ બતાવવાની આશા રાખીએ છીએ, કારણ કે તેઓ કોંગ્રેસ પાર્ટી માટે અગ્રણી રહેશે, જેણે તેમને 9 વર્ષ અને 9 મહિના માટે મુખ્યમંત્રી બનાવ્યા છે'.

Supriya Shrinate

શું કોંગ્રેસમાં અનાદર અને અપમાન માટે જગ્યા છે : અમરિંદર

અમરિંદર સિંહે ગુરૂવારના રોજ કહ્યું હતું કે, તેઓ પક્ષના વલણથી ખૂબ જ દુ:ખી છે અને ગુરુવારે તેમણે કોંગ્રેસના પ્રવક્તાને આ જ રીતે જવાબ આપ્યો હતો. રાજકારણમાં ગુસ્સાને કોઈ સ્થાન નથી, તેમણે જવાબમાં કહ્યું છે કે 'હા, રાજકારણમાં ગુસ્સાને કોઈ સ્થાન નથી, પરંતુ શું કોંગ્રેસ જેવી જૂની પાર્ટીમાં અનાદર અને અપમાનને અવકાશ છે? જો મારા જેવા પક્ષના વરિષ્ઠ નેતા સાથે આવી વર્તણુક થઈ શકે, તો મને આશ્ચર્ય થાય છે કે, કાર્યકરોએ શું સહન કરવું પડતું હશે! ' અમરિંદરના પૂર્વ મીડિયા સલાહકાર રવીન ઠુકરાલે ટ્વીટમાં તેમને ટાંકીને આ માહિતી આપી છે.

અમરિંદર રાહુલ-પ્રિયંકાને બિનઅનુભવી કહ્યા

બુધવારના રોજ કેપ્ટને રાહુલ અને પ્રિયંકા ગાંધીને 'બિનઅનુભવી' કહ્યા હતા, પરંતુ સિદ્ધુ સામે પોતાની તીવ્ર નારાજગી પણ વ્યક્ત કરી હતી. તેમણે તેમને 'ડ્રામા માસ્ટર' અને 'ખતરનાક માણસ' કહ્યા અને કહ્યું કે, તેમણે પોતાને 'સુપર મુખ્યમંત્રી' તરીકે રજૂ કર્યા અને નવા મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની માત્ર 'માથું હલાવતા' જોવા મળ્યા હતા. તેઓ સિદ્ધુ પર 'રાષ્ટ્ર વિરોધી' હોવાનો આરોપ પણ લગાવી રહ્યા છે. અમરિંદર સિંહે એક નિવેદન આપીને દાવો કર્યો હતો કે, હવે પંજાબ દિલ્હીથી ચલાવવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમરિંદર સિંહે ગત શનિવારના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને પાર્ટી હાઈકમાન્ડના વલણથી નારાજ થઈ ગયા હતા.

'જેઓ પાર્ટી છોડવા માગે છે'

જે દરમિયાન કોંગ્રેસના પ્રવક્તાએ અમરિંદર સિંહને રાજીન્દર કૌર ભટ્ટલના સ્થાને કેવી રીતે મુખ્યમંત્રી બનાવ્યા તે કહેવાનો પ્રયાસ કર્યો હતો. શ્રીનેટના મતે 'મને લાગે છે કે, તેમનો અનુભવ અને જાહેર જીવનને જોતાં, આવી વસ્તુઓ તેમના વ્યક્તિત્વને અનુકૂળ નથી, તેથી તેઓ તેમના શબ્દો વિશે ફરીથી વિચાર કરશે. અમે તેમના કરતા નાના હોવાના કારણે તેમના અચાનક નારાજગીને ભૂલી જવાનો પ્રયત્ન કરીશું. પાર્ટી તેમની સાથે રહેશે, પરંતુ જેઓ પાર્ટી છોડવા માંગે છે તેમના પર હું ટિપ્પણી કરીશ નહીં.

Supriya Shrinate

'કેપ્ટન માટે રાજકીય વિકલ્પો ખુલ્લા છે

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું કે, તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ કહ્યું હતું કે, તેઓ પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે બીજી મોટી જીત બાદ કોઈ બીજા માટે રાજીનામું આપવા માટે તૈયાર છે, પરંતુ એવું થયું નહીં. પંજાબના ભૂતપૂર્વ મુખ્યપ્રધાને કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠક ગુપ્ત રીતે બોલાવવાની વાત કરી હતી અને તેમને "અપમાનિત" કરવા બદલ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે, તેમના રાજકીય વિકલ્પો ખુલ્લા છે. તે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના નજીકના લોકોની સલાહ લેશે. કેપ્ટને કહ્યું કે, તમે 40 વર્ષની ઉંમરે અને 80 વર્ષની ઉંમરે યુવાન બની શકો છો. આ સાથે તેણે સ્પષ્ટ કર્યું કે તે પોતાની ઉંમરને અડચણરૂપ નથી માનતા.

કેપ્ટને સોનિયા ગાંધી સામે નારાજગી વ્યક્ત કરી હતી

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પણ અમરિંદર સિંહે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. કેપ્ટન અમરિંદર સિંહે જે રીતે કોંગ્રેસ હાઇકમાન્ડ સામે વકતૃત્વ કર્યું છે, તે પંજાબના રાજકીય કોરિડોરમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે, શું કેપ્ટન આવી રેટરિક કરીને કોંગ્રેસ છોડવાનો સંકેત આપી રહ્યા છે. કે બાદ કોંગ્રેસ કેપ્ટન સામે કેટલાક પગલા લે છે, સવાલ એ ઉભો થાય છે કે, જો કોંગ્રેસ કેપ્ટન સામે પગલા લેશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને તેનું પરિણામ ભોગવવું પડી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X