‘1984 શીખ હુલ્લડ માટે રાહુલ ગાંધી જવાબદાર નથી': પી ચિદમ્બરમ
થોડા દિવસો પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 1984 શીખ વિરોધી હુલ્લડો પર આપેલા નિવેદનો બાદ હવે પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ તેમના બચાવમાં ઉતરી આવ્યા છે.
થોડા દિવસો પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 1984 શીખ વિરોધી હુલ્લડો પર આપેલા નિવેદનો બાદ હવે પૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી અને કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમ તેમના બચાવમાં ઉતરી આવ્યા છે. ચિદમ્બરમે કહ્યુ કે આના માટે રાહુલ ગાંધીને જવાબદાર ગણી શકાય નહિ. કારણકે તે સમયે તેમની ઉંમર માત્ર 13 કે 14 વર્ષ હશે. શીખ હુલ્લડો અંગે પી ચિદમ્બરમે કહ્યુ કે 1984 માં કોંગ્રેસ સત્તામાં હતી, ત્યારે ખૂબ જ દુઃખદ ઘટના બની અને ડૉ. મનમોહન સિંહે આના માટે સંસદમાં માફી પણ માંગી હતી.

તે એક ટ્રેજેડી હતી અને દુઃખદ હતી
તેમણે કહ્યુ કે કોઈને દોષમુક્ત જાહેર કર્યા નથી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યુ કે 1984 શીખ હુલ્લડમાં તેમનો પક્ષ શામેલ નહોતો. યુકેમાં સંસદમાં 1984 માં કરાયેલા એક સવાલ બાદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે મારા મગજમાં આ અંગે કોઈ શંકા નથી કે તે એક ટ્રેજેડી હતી અને દુઃખદ હતી. તમે કહી રહ્યા છો કે હુલ્લડમાં કોંગ્રેસ પક્ષ શામેલ હતો પરંતુ હું તેનાથી સંમત નથી. અચાનક ઘટના થાય છે અને ટ્રેજેડીમાં બદલાઈ જાય છે. આ સાથે રાહુલ ગાંધીએ બીજા પણ ઘણા મુદ્દાઓ કરાયેલા સવાલોના જવાબ આપ્યા.
રાહુલના નિવેદન પર ભાજપે સાધ્યુ નિશાન
લંડનની સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈન્ટરએક્ટિવ સેશન બાદ રાહુલ ગાંધીને ફરીથી એક વાર શીખ હુલ્લડો બાદ મનમોહન સિંહે કરેલા નિવેદન અંગે સવાલ કરવામાં આવ્યા. જેના પર રાહુલ ગાંધીએ જવાબ આપતા કહ્યુ કે હું હિંસાનો શિકાર છુ અને હું સમજી શકુ છુ કે હું શું અનુભવુ છુ. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ લંડનમાં આપેલી સ્પીચ પર ભાજપે નિશાન સાધ્યુ હતુ. ભાજપે કહ્યુ હતુ કે રાહુલ ગાંધી વિદેશમાં જઈને ભારતને નીચુ બતાવી રહ્યા છે. એટલા માટે તેમણે પોતાના નિવેદન પર દેશની જનતાની માફી માંગવી જોઈએ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
