કોંગ્રેસે માંગ્યું મુંખ્યમંત્રી રમણ સિંહનું રાજીનામું
રાયપૂર, 29 મે : નક્સલીઓના હુમલા બાદ કોંગ્રેસ નેતાની હત્યાને પગલે કોંગ્રેસીઓમાં ચકચાર મચી ગઇ છે. નક્સલીઓના હુમલા બાદ કોંગ્રેસે મુખ્યમંત્રી રમણ સિંહ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસી સીએમ રમણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
કોંગ્રેસે આ સંપૂર્ણ હત્યાકાંડ માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી છે. કોંગ્રેસી આના માટે રમણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. તેમની માંગ છે કે સરકારની સુરક્ષાની કમીના કારણે જ આ ઘટના ઘટી છે માટે સરકાર આની જવાબદારી સ્વીકારીને મુખ્યમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપી દે.
જ્યારે બીજેપીએ આને રાજકીય કાવા-દાવા ગણાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ભક્ત ચરણદાસે કહ્યું કે રમણસિંહે હવે રાજીનામુ આપી દેવું જોઇએ. છત્તીસગઢમાં માઓવાદી હુમલા બાદ આ પહેલીવાર છે કે મુખ્યમંત્રી રમણ સિંહનું રાજીનામું માંગ્યું છે.













Click it and Unblock the Notifications
