મોદી ઇફેક્ટ! રાજીવ ગાંધીને 'સરકારી' શ્રદ્ધાંજલિ નહીં
નવી દિલ્હી, 21 મે: દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની આજે 23મી પૂણ્યતિથિ છે, પરંતુ આ વખતે તેમની પુણ્યતિથિ પાછલા વર્ષો કરતા કઇ અલગ દેખાઇ રહી છે. આજના દિવસે દરેક વર્ષે દેશના તમામ અખબારોમાં રાજીવ ગાંધી છવાયેલા રહેતા હતા. 2004માં જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી ત્યારથી સતત રાજીવ ગાંધીની જન્મતિથિ અને પુણ્યતિથિ પર કરોડો રૂપિયાના સરકારી વિજ્ઞાપન સમાચારોમાં છવાયેલા રહેતા હતા.
પરંતુ હવે દેશની સત્તા બદલાઇ ચૂકી છે, નરેન્દ્ર મોદી દેશના ભાવી વડાપ્રધાન છે. જોકે તેમણે હજી શપથ લીધી નથી અને કાર્યભાર સંભાળ્યો નથી પરંતુ આને મોદીની અસર જ માનવામાં આવી રહી છે કે જે સમાચાર પત્રો રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિથી ભરાયેલા રહેતા હતા તે આજે ખાલી પડ્યા છે. માત્ર હરિયાણા સરકારની એક જાહેરાતે તેમને શ્રદ્ધાંજલિ આપી છે. જોકે મોદીએ આજે દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 23મી પુણ્યતિથિ પર ટ્વિટરના માધ્યમથી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
દરેક વર્ષે દેશના તમામ કોંગ્રેસ શાસિત રાજ્ય પણ રાજીવ ગાંધીની જાહેરાતમાં કરોડો રૂપિયા ખર્ચ કરતા હતા. અહીં સુધી કે ઇન્ડિયન એરલાઇન્સ જે દર વર્ષે રાજીવ ગાંધીના જન્મદિવસ અને પુણ્યતિથિ પર જાહેરાત આપતું હતું તેણે પણ આ વર્ષે કોઇ જાહેરાત નથી આપી. અત્રે નોંધનીય છે કે રાજીવ ગાંધી રાજનીતિમાં આવતા પહેલા ઇન્ડિયન એરલાઇન્સમાં જ પાયલટ હતા. એક માહિતી અનુસાર યૂપીએએ માત્ર 2012માં જાહેરાત પર 22 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.
કોણે કોણે આપી રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ, જુઓ તસવીરોમાં...

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા સોનિયા ગાંધી અને મનમોહન સિંહ.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા ગાંધી પરિવાર અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતું ગાંધી પરિવાર

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને કમલનાથ.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા રાહુલ ગાંધી, રોબર્ટ વાઢેરા અને પ્રિયંકા વાઢેરા.

રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ
પુણ્યતિથિ પર રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા પ્રણવ મુખર્જી
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
