કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામુ આપનાર અજય માકન ગાંધી પરિવારની નજીક
આજે સવારે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ પદેથી અજય માકને રાજીનામુ આપી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
આજે સવારે દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ પદેથી અજય માકને રાજીનામુ આપી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જો કે તેમણે રાજીનામા પાછળ સ્વાસ્થ્યનું કારણ આપી દીધુ છે અને એટલુ જ નહિ રાજીનામુ આપ્યા બાદ અજય માકન વિદેશ રવાના થઈ ગયા છે. જો કે કોંગ્રેસ પક્ષે માકનના રાજીનામાનો ઈનકાર કરી દીધો છે. માકનના રાજીનામાથી અટકળોનો દોર ચાલુ થઈ ગયો છે. જો કે પક્ષ સતત કહી રહ્યો છે કે અજય માકનનું સ્વાસ્થ્ય ખરાબ છે તેમનો ઈલાજ વિદેશમાં ચાલી રહ્યો છે પરંતુ તેમણે પદ પરથી રાજીનામુ નથી આપ્યુ.

અજય માકને આપ્યુ છે રાજીનામુ?
હજુ સુધી એ સ્પષ્ટ નથી કે માકનને શું બિમારી થઈ છે જેના માટે તે વિદેશ ગયા છે. જ્યારે મીડિયાના સૂત્રો કહી રહ્યા છે કે માકન પક્ષથી નારાજ છે. તે આમ આદમી પાર્ટી સાથે સંભવિત ગઠબંધનનો વિરોધ કરી રહ્યા છે પરંતુ પક્ષના મોટા નેતા તેમની વાત નથી સાંભળી રહ્યા અને આના કારણે જે તેમણે રાજીનામુ આપી દીધુ છે. હાલમાં આ બાબતે અજય માકનનું કોઈ નિવેદન આવ્યુ નથી. આવો નજર નાખીએ માકનની અત્યાર સુધીની સફર પર...

ગાંધી પરિવારની જ નજીક છે માકન
માકન બે વાર લોકસભા સાંસદ અને ત્રણ વાર દિલ્હી વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. તેમણે પોતાના રાજકીય કેરિયરની શરૂઆત 21 વર્ષની ઉંમરમાં કરી હતી. વર્ષ 1964 માં જન્મેલા માકન 1985 માં દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ ચૂંટાયા હતા. તેઓ ગાંધી પરિવારની ખૂબ નજીક માનવામાં આવે છે.

1993 માં રાજૌરી ગાર્ડનથી પહેલી વાર ધારાસભ્યની ચૂંટણી લડી
તેમણે 1993 માં રાજૌરી ગાર્ડનથી પહેલી વાર ધારાસભ્યની ચૂંટણી લડી અને વિજયી થયા. ત્યારબાદ તે 1998, 2003 માં ધારાસભ્ય ચૂંટાયા. 2015 ની દિલ્હી ચૂંટણીમાં અજય માકનને કોંગ્રેસે પોતાની પ્રચાર સમિતિની કમાન સોંપી હતી.

માકનની ઓળખ દિલ્હીના તેજતર્રાર નેતા રૂપે
માકનની ઓળખ દિલ્હીના તેજતર્રાર નેતાના રૂપમાં રહી છે. 2003 માં સતત ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂકેલા માકન 39 વર્ષની ઉંમરમાં સૌથી નાની ઉંમરના સ્પીકર બન્યા હતા. બે વાર સાંસદ રહેલા માકન મનમોહન સરકારમાં રમતગમત અને યુવા બાબતોથી લઈને શહેરી વિકાસ મંત્રીના પદ પર પણ રહી ચૂક્યા છે. માકન 2014 માં નવી દિલ્હી લોકસભા બેઠક પરથી ભાજપની મિનાક્ષી લેખાથી ચૂંટણી હારી ચૂક્યા છે.
-
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
કોંગ્રેસ પ્રમુખ ખડગેના વિવાદાસ્પદ નિવેદન સામે ગુજરાતી સમુદાયે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યું -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ખડગે પર શર્માની ટિપ્પણીના સમર્થન અંગે સ્પષ્ટતા માગી -
DC vs GT Weather Update: દિલ્હીમાં વરસાદનું સંકટ; જાણો ગુજરાત ટાઇટન્સ સામેની મેચ રમાશે કે નહીં? -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ: ટ્રમ્પે પાકિસ્તાનની અપીલ સ્વીકારી, 14 દિવસ સુધી અમેરિકી બોમ્બમારો બંધ રહેશે, ઈરાનનું -
US-Iran Ceasefire બાદ ક્યાં અને ક્યારે યોજાશે બેઠક? ક્રેડિટ લેવા માટે પાકિસ્તાની PM શહબાઝ શરીફે કરી મોટી ઓફર -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર










Click it and Unblock the Notifications
