કોંગ્રેસે દિલ્હીના 5 નેતાઓને શૉ કોઝ નોટિસ મોકલી
કોંગ્રેસે દિલ્હીના 5 નેતાઓને શૉ કોઝ નોટિસ મોકલી
નવી દિલ્હીઃ કોંગ્રેસ પાર્ટીએ પોતાના 5 નેતાઓને કારણ જણાવો નોટિસ મોકલી છે. કોંગ્રેસની અનુશાસન સમિતિએ દિલ્હીના ત્રણ પૂર્વ મંત્રિઓ સહિત 5 કોંગ્રેસી નેતાઓને કારણ જણાવો નોટિસ મોકલી છે. કોંગ્રેસની કેન્દ્રીય અનશાસન સમિતિના સભ્ય સચિવ મોતી લાલ વોરાએ આ અંગે જાણકારી આપતા કહ્યું કે તમામ નેતાઓને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વિરુદ્ધ સાર્વજનિક રૂપે નિવેદનબાજી કરવાના આરોપમાં કારણ દર્શાવો નોટિસ મોકલવામાં આવી છે.
કોંગ્રેસના આ તમામ નેતાઓને 15 દિવસમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે. એટલું જ નહિ પાર્ટી નેતાઓ તરફથી જવાબ ન આપવામાં આવવાની સ્થિતિમાં સમુચિત કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે. કોંગ્રેસે દિલ્હીના પૂર્વ મંત્રી કિરણ વાલિયા, મંગતરામ સિંઘલ અને રમાકાંત ગોસ્વામી, પૂર્વ નિગમ પાર્ષદ રોહિત મનચંદા અને પૂર્વ પાર્ષદ જિતેન્દ્ર સિંહ કોચરને કારણ દર્શાવો નોટિસ મોકલી છે.
જણાવી દઈએ કે આ નેતાઓએ પ્રદેશ કોંગ્રેસના પ્રભારી પીસી ચાકો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. આ નેતાઓએ ચાકોને પદથી હટાવવાની માંગ કરી છે. નેતાઓએ આરોપ લગાવ્યો કે દિલ્હી કોંગ્રેસની હાલત બગડવા પાછળ પીસી ચાકો જવાબદાર છે. વધુમાં તેમણે કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના મૃત્યુ બાદ તેમના દીકરા સંદીપ દીક્ષિતે પણ પોતાની મા અને પૂર્વ મુખ્યમંત્રીના મોત માટે પીસી ચાકોને જવાબદાર ઠહેરાવ્યા હતા. આ મામલે સોનિયા ગાંધી તમાસ કરાવી પીસી ચાકોને પદ પરથી હટાવવાની માંગણી કરી હતી. જ્યારે હવે આલાકમાને આ બાબતને બહુ ગંભીરતાથી લઈ પાર્ટીના નેતાઓને કારણ દર્શાવો નોટિસ મોકલી છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ ભાજપ મુખ્યાલયમાં ઉજવણીની તૈયારી, 5000 લાડવા મંગાવાયા