ઉત્તરાખંડ સુધી રાજીનામાની આંચ, રાહુલ બાદ હરીશ રાવતે છોડ્યુ પદ
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પાર્ટી પ્રેસિડન્ટ પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસમાં મોટા સ્તરના નેતાઓના સતત રાજીનામા થઈ રહ્યા છે.
પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પાર્ટી પ્રેસિડન્ટ પદેથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસમાં મોટા સ્તરના નેતાઓના સતત રાજીનામા થઈ રહ્યા છે. આ દરમિયાન ગુરુવારે અસમના પ્રભારી અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે કોંગ્રેસ મહાસચિવ પદેશી રાજીનામુ આપી દીધુ છે. વળી, જૂનના અંતમાં ઘણા કોંગ્રેસી નેતાઓએ હારની જવાબદારી લઈને પોત પોતાના રાજીનામા પાર્ટીને સોંપી દીધા હતા. ત્યારબાદ પાર્ટીની અંદર રાજીનામાની વણઝાર લાગી ગઈ હતી.

ગુરુવારે હરીશ રાવતે હાલમાં જ થયેલ લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મળેલી ભારે હારની જવાબદારી લઈને રાજીનામુ આપી દીધુ છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ પાર્ટીએ હરીશ રાવતને અસમના પ્રભારી બનાવ્યા હતા. આ ચૂંટણીમાં પાર્ટીનું અસમમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન રહ્યુ. હરીશ રાવતે ફેસબુક પર પોસ્ટ લખીને હારની જવાબદારી લીધી છે. તેમણે લખ્યુ કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની હાર તેમજ સંગઠનાત્મક નબળાઈ માટે આપણે પદાધિકારી ગણ જવાબદાર છે.
હરીશ રાવતે લખ્યુ કે, અસમમાં પાર્ટી દ્વારા અપેક્ષિત સ્તરનું પ્રદર્શન ન કરી શકવા માટે પ્રભારી રૂપે હું જવાબદાર છુ. હું મારી નબળાઈને સ્વીકારીને પોતાના મહામંત્રીના પદેથી પહેલા જ ત્યાગપત્ર આપી દીધુ છે. પાર્ટી માટે સમર્પિત ભાવથી કામ કરવા માટે મારી સ્થિતિના લોકો માટે પદ જરૂરી નથી પરંતુ પ્રેરણા આપનાર નેતા જરૂરી છે.
હરીશ રાવતે લખ્યુ કે પ્રેરણા આપવાની ક્ષમતા માત્ર રાહુલ ગાંધીમાં છે, તેમના હાથમાં કમાન રહે તો સંભવ છે કે આપણે 2022માં રાજ્યોમાં થઈ રહેલ ચૂંટણીમાં વર્તમાન સ્થિતિને બદલી શકીએ છીએ. 2024માં ભાજપ અને નરેન્દ્ર મોદીને હરાવી શકીએ છીએ. એટલા માટે લોકતાંત્રિક શક્તિઓ તેમજ બધા કોંગ્રેસજન શ્રી રાહુલજીને કોંગ્રેસ અધ્યક્ષ પદ પર જોવા ઈચ્છે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
