કોંગ્રેસ સાંસદ જગદંબિકા પાલ ભાજપમાં જોડાતા હોવાની ચર્ચા
લખનઉ, 27 ફેબ્રુઆરી: રાજકીય વર્તુળોમાં ચર્ચા થઇ રહી છે ડુમરિયગંજના કોંગ્રેસ સાંસદ અને પૂર્વાંચલમાં પાર્ટીનો સૌથી ચર્ચિત ચહેરો ગણાતા જગદંબિકા પાલ ભાજપમાં જોડાવવાના છે. જો કે આ વાતની કોઇ મજબૂત પુષ્ટિ કરવા માટે તૈયાર નથી. જગદંબિકા પાલને કોંગ્રેસમાં અપમાનિત કરવામાં આવ્યા હોવાની વાત કહેવામાં આવે છે, પરંતુ ભાજપમાં જવાની ચર્ચાઓના મુદ્દે તે ગોળમોળ જવાબ આપીને ટાળી દિધું હતું.
જગદંબિકા પાલ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને પૂર્વાંચલથી પાર્ટીના દિગ્ગજ નેતા યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી ચૂક્યાં છે. જગદંબિકા પાલ સાર્વજનિક રીતે પાર્ટી નેતૃત્વને લઇને નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે પાર્ટીએ તેમનો ઉપયોગ કર્યો અને તેના બદલામાં તેમને કંઇ ન મળ્યું. જગદંબિકા પાલે કહ્યું હતું કે 'પ્રદેશના રાજકારણમાં મારાથી છ જૂનિયર લોકો મંત્રી છે. બેની પ્રસાદ વર્મા, સલમાન ખુર્શીદ, શ્રીપ્રકાશ જાયસવાલ પણ મારાથી જૂનિયર છે. કેન્દ્રિય નેતૃત્વ મને પદ આપે કે નહી, પરંતુ મારું એક સન્માન તો રહેવું જોઇએ. હું એક સીનિયર લીડર છું.

સૂત્રોના જણાવ્ય અનુસાર ભાજપની સ્ટેટ યૂનિટ જગદંબિકા પાલને પાર્ટીમાં સામેલ કરવાનો વિરોધ કરી રહી છે. એટલા માટે સંભાળીને પગલાં ભરવામાં આવી રહ્યાં છે. જો કે રાજકીય વર્તુળમાં કહેવામાં આવે છે કે રાજનાથ સિંહ સાથે મુલાકાત બાદ તેમને ભાજપમાંથી ટિકીટમાંથી મળવી નક્કી થઇ ગયું છે.
પ્રદેશમાંથી કોંગ્રેસના વધુ એક સાંસદ પણ ભગવા રંગમાં રંગાવવાના હોવાની ચર્ચા છે. લખનઉની નજીક આવેલા જીલ્લામાંથી આ સાંસદે કોંગ્રેસની ટિકીટ પરથી ગત ચૂંટણીમાં ધમાકેદાર જીત નોંધાવી હતી. એક મોટા ઔદ્યોગિક કુંટુંબ સાથે તેમના ખાસ સંબંધ હોવાની વાત કહેવામાં આવે છે. તેને લઇને કહેવામાં આવે છે કે તેમની ઇચ્છા જૂના મતવિસ્તારમાંથી ચૂંટણી લડવાની છે, પરંતુ કોંગ્રેસની હવા તેમને જીતની ગેરેન્ટી આપી શકતી નથી. તેથી તે ભાજપમાંથી ટિકીટ મેળવવા માટે તોડજોડ કરી રહ્યાં છે. રાજનાથ સિંહે તેમની સાથે પણ મુલાકાત કરી હોવાનું કહેવામાં આવે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
