કોંગ્રેસી નેતા સંજય ઝાને કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી જાણકારી આપી
કોંગ્રેસી નેતા સંજય ઝાને કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી જાણકારી આપી
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. આ જીવલેણ મહામારીના લપેટામાં કોંગ્રેસ નેતા સંજય ઝા પણ આવી ચૂક્યા છે. શુક્રવારે ટ્વીટ કરી તેમણે જણાવ્યું કે તેમનો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે બાદથી હવે તેઓ ક્વારંટાઈનમાં છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ આગલા 10-12 દિવસ માટે ઘરવાળાઓથી દૂર હોસ્પિટલમાં રહેશે. સંજય ઝાએ કહયું કે સંક્રમણના ફેલાવાને હળવામાં ના લો, આપણે બધા આના લપેટામાં આવી શકીએ છીએ.

દેશમાં કોરોનાવાયરસના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી કે પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 6088 મામલા સામે આવ્યા છે અને 148 લોકોના મોત થયાં છે દેશમાં હવે કોરોના વાયરસના કુલ 1,18,447 મામલા છે, જેમાં 66,330 સક્રિય મામલા અને 3583 મોત સામેલ છે.












Click it and Unblock the Notifications
