રાષ્ટ્રપતિ મુર્મૂ પર વિવાદાસ્પદ નિવેદન બદલ ઉદિત રાજે માંગી માફી, કહ્યુ - ભૂલ થઈ, માફ કરજો પરંતુ સવાલ...

કોંગ્રેસ નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર આપેલા પોતાના વિવાદિત નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે.

નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર આપેલા પોતાના વિવાદિત નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો છે. ઉદિત રાજે ટ્વિટ કરીને કહ્યુ કે શબ્દ પસંદ કરવામાં તેમનાથી ભૂલ થઈ ગઈ, જેના માટે તેમને દુઃખ છે. આ સાથે જ ઉદિત રાજે એ પણ કહ્યુ કે એ સવાલ કરવાનુ નહિ છોડે કારણકે આ તેમનો અધિકાર છે. કોંગ્રેસ નેતા ઉદિત રાજે પોતાના ટ્વિટમાં કહ્યુ, 'રાષ્ટ્રપતિજી(દ્રૌપદી મુર્મૂ)એ નિવેદન સમજી-વિચારીને આપવા જોઈએ. નમક ખાવાનો અર્થ ઉંડો છે. મારી શબ્દ પસંદગીમાં ભૂલ થઈ, ખેદ છે. હું સવાલ કરત રહીશ. હું પદનો મોહ નથી રાખતો. એસસી/એસટીનુ પ્રતિનિધિત્વ કરુ છુ, જ્યારે તેના નામથી ઉચ્ચ પદ પર રહીને લોકો ચૂપ રહે છે ત્યારે તડપી જાઉ છુ.'

મહિલા પંચે ઉદિત રાજને મોકલી હતી નોટિસ

મહિલા પંચે ઉદિત રાજને મોકલી હતી નોટિસ

કોંગ્રેસ નેતા ઉદિત રાજે રાષ્ટ્રપતિ પર અપમાનજનક ટિપ્પણી માટે રાષ્ટ્રીય મહિલા પંચ દ્વારા નોટિસ મોકલવામાં આવી હતી. રાષ્ટ્રીય મહિલા પંચે કહ્યુ હતુ કે ઉદિત રાજે સ્પષ્ટ કર્યુ કે તેમની ટિપ્પણી વ્યક્તિગત હતી અને ભારતના રાષ્ટ્ર્પતિ માટે નહોતી પરંતુ એક આદિવાસી પ્રતિનિધિ માટે હતી, આવી ટિપ્પણી જે માત્ર એક એસસી/એસટી પ્રતિનિધિ તરીકે આપવામાં આવી હતી.

'મુર્મૂજીને કોઈ દૂબે, તિવારી, અગ્રવાલ, ગોયલ, રાજપૂત...'

'મુર્મૂજીને કોઈ દૂબે, તિવારી, અગ્રવાલ, ગોયલ, રાજપૂત...'

કોંગ્રેસ નેતા ઉદિત રાજે પોતાના ટ્વિટમાં કહ્યુ હતુ, 'દ્રૌપદી મૂર્મુજીને કોઈ દૂબે, તિવારી, અગ્રવાલ, ગોયલ, રાજપૂત મારા જેવા સવાલ કરતા તો પદની ગરિમા ઘટતી. અમે દલિત આદિવાસી ટીકા કરીશુ અને આના માટે લડીશુ પણ. અમારા પ્રતિનિધિ બનીને જાય છે પછી બહેરા-મૂંગા બની જાય છે. ભાજપે મારુ સમ્માન કર્યુ પરંતુ જ્યારે એસસી/એસટીની વાત આવી તો ખરાબ થઈ ગયો.'

'મારુ નિવેદન દ્રૌપદી મુર્મૂજી માટે વ્યક્તિગત હતુ...'

'મારુ નિવેદન દ્રૌપદી મુર્મૂજી માટે વ્યક્તિગત હતુ...'

કોંગ્રેસ નેતા ઉદિત રાજે એક અન્ય ટ્વિટમાં કહ્યુ, 'દ્રૌપદી મુર્મીજીનુ રાષ્ટ્રપતિ તરીકે પૂરુ સમ્માન છે. તે દલિત-આદિવાસીના પ્રતિનિધિ પણ છે અને મને અધિકાર છે પોતાના ભાગનો સવાલ કરવાનો. આને રાષ્ટ્રપતિ પદ સાથે જોડવામાં ન આવે. મારુ નિવેદન દ્રૌપદીજી માટે વ્યક્તિગત છે, કોંગ્રેસ પાર્ટીનુ નથી. મુર્મૂજીને ઉમેદવાર બનાવ્યા, તેમણે વોટ માંગ્યા આદિવાસીના નામથી. રાષ્ટ્રપતિ બનવાથી શું આદિવાસી નથી રહ્યા? દેશના રાષ્ટ્ર્પતિ છે તો આદિવાસીના પ્રતિનિધિ પણ છે. રડવુ આવે છે જ્યારે એસસી/એસટીના નામથી પદ પર જાય છે અને પછી ચૂપ થઈ જાય છે.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X