For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને ફસાવવા માટે થઇ રહ્યો છે CBIનો દુરુપયોગ: નાયડૂ

|
Google Oneindia Gujarati News

venkaiah naidu
કોલકાતા, 3 ઓક્ટોબર: ભાજપા નેતા એમ. વેંકૈયા નાયડૂએ ગુરુવારે ચેતાવણી આપી કે ઇશરત જહાં મામલામાં સીબીઆઇનો દુરુપયોગ કરીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ફંસાવવાની નકારાત્મક રણનીતિ કોંગ્રેસને ભારે પડશે.

નાયડૂએ દાવો કર્યો કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર મોદીને મળી રહેલા અપાર સમર્થનથી ભયભીત થઇ ગઇ છે. તેમણે જણાવ્યું કે 'હતાશ કોંગ્રેસને હવે મોદી અને તેમના સહયોગિઓને બદનામ કરવામાં કેન્દ્રીય તપાસ એજન્સી પર ભરોસો છે.'

નાયડૂએ જણાવ્યું કે 'મોદીને ફસાવવાની ચાલ ચાલીને કોંગ્રેસ આગ સાથે રમત કરવાની કોશીશ કરી રહી છે. કોંગ્રેસ માટે એ ચેતવણી છે કે આ નકારાત્મક રણનીતિની તેને ભારે કિંમત ચૂકવવી પડશે.'

મુંબઇની એક કૉલેજની વિદ્યાર્થિની ઇશરત જહાં અને તેના ત્રણ મિત્રો પ્રણેશ ગોપીનાથ પિલ્લે, અમજદ અલી અને જિશાન જૌહરને ગુજરાત પોલીસે 15 જૂન 2004ના રોજ એક નકલી એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા.

ગુજરાત પોલીસે માર્યા ગયેલા તમામ લોકોને પાકિસ્તાનથી જમ્મૂ અને કાશ્મીરના માર્ગે આવેલા આતંકવાદી હોવાનો દાવો કર્યો હતો. પોલીસે દાવો કર્યો હતો તેઓ મોદીને મારવાના ઉદ્દેશ્યથી આવ્યા હતા.

English summary
BJP leader M. Venkaiah Naidu Thursday warned that the "negative strategy" of trying to implicate Gujarat Chief Minister Narendra Modi in the Ishrat Jahan case by "misusing the CBI" will boomerang on the Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X