પદ્માવતની હિંસા મામલે રાહુલે કહ્યું, ભાજપે લગાવી છે દેશમાં આગ
પદ્માવતી ફિલ્મની રિલિઝનો દેશભરમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ માટે ભાજપ સરકારને દોષી ગણાવી છે. જાણો આ અંગે વધુ અહીં.
સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવત પર દેશભરમાં થયેલી હિંસા મામલે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે બાળકો પર હિંસા કોઇ પણ રીતે યોગ્ય ન ગણાવી શકાય. રાહુલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી નફરત અને હિંસાનો ઉપયોગ કરીને પૂરા દેશમાં આગ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હિંસા અને નફરત નબળા લોકોના હથિયાર છે. નોંધનીય છે કે દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામમાં બાળકોની સ્કૂલ પર કરણી સેનાના લોકોએ હુમલો કર્યો હતો અને બસનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બાળકો રડી રહ્યા છે અને ભીડ બસ પર પથરાવ કરી રહી છે. વીડિયોમાં સાફ દેખાય છે કે બાળકો અને શિક્ષકો કેવી રીતે સીટ નીચે છુપાઇને બેઠા છે. જેથી તે હુમલાથી બચી શકે. વધુમાં પોલીસ પણ આ ભીડને નિયંત્રિત નહતી કરી શકી. બાળકોને કોઇ રીતે બસની અંદર કવર કરવામાં આવ્યા હતા.

આ ઘટના પર હરિયાણાની સરકારના મંત્રી અનિલ વિજ કહ્યું કે, હરિયાણાના મુખ્યમંત્રીએ આ જ કારણે સાર્વજનિક ભાવનાઓને દેખીને સિનેમા હોલમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ નથી દેખાડી રહ્યા. પણ તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન આપીને અને મુખ્યમંત્રીની વાત મુજબ અમે જે સિનેમાગૃહ આ ફિલ્મની સ્ક્રીનિંગ કરવા ઇચ્છતું હોય તેને સુરક્ષા આપીશું. ત્યાં જ કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ પણ સ્કૂલના બાળકો પર કરવામાં આવેલા હુમલાને અયોગ્ય કહ્યું છે અને સાથે જ ખટ્ટર સરકાર તમામ મોર્ચા પર કાનૂન અને વ્યવસ્થા રાખવામાં અસફળ રહી છે તેમ જણાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટેના આદેશને જો સરકાર લાગુ ના કરી શકે તો તેમને સરકારમાં કોઇ અધિકાર નથી. સૂરજ પાલ અમૂએ કહ્યું કે સ્કૂલ બસ પર હુમલો થયો તે અંગે એજ કહીશ કે કે હું શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની અપીલ કરું છું. આ મામલે જ્યારે વડાપ્રધાન, ગૃહ મંત્રી કે અમિત શાહ બોલવા માટે આવશે ત્યારે જ પૂર્ણ થશે. હું પદ્માવતનો બહિષ્કાર કરવાની દરેકને અપીલ કરું છું.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
