પદ્માવતની હિંસા મામલે રાહુલે કહ્યું, ભાજપે લગાવી છે દેશમાં આગ
પદ્માવતી ફિલ્મની રિલિઝનો દેશભરમાં ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ માટે ભાજપ સરકારને દોષી ગણાવી છે. જાણો આ અંગે વધુ અહીં.
સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવત પર દેશભરમાં થયેલી હિંસા મામલે બોલતા રાહુલ ગાંધીએ કહ્યું કે બાળકો પર હિંસા કોઇ પણ રીતે યોગ્ય ન ગણાવી શકાય. રાહુલે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી નફરત અને હિંસાનો ઉપયોગ કરીને પૂરા દેશમાં આગ લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે હિંસા અને નફરત નબળા લોકોના હથિયાર છે. નોંધનીય છે કે દિલ્હી પાસે આવેલા ગુરુગ્રામમાં બાળકોની સ્કૂલ પર કરણી સેનાના લોકોએ હુમલો કર્યો હતો અને બસનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં બાળકો રડી રહ્યા છે અને ભીડ બસ પર પથરાવ કરી રહી છે. વીડિયોમાં સાફ દેખાય છે કે બાળકો અને શિક્ષકો કેવી રીતે સીટ નીચે છુપાઇને બેઠા છે. જેથી તે હુમલાથી બચી શકે. વધુમાં પોલીસ પણ આ ભીડને નિયંત્રિત નહતી કરી શકી. બાળકોને કોઇ રીતે બસની અંદર કવર કરવામાં આવ્યા હતા.

આ ઘટના પર હરિયાણાની સરકારના મંત્રી અનિલ વિજ કહ્યું કે, હરિયાણાના મુખ્યમંત્રીએ આ જ કારણે સાર્વજનિક ભાવનાઓને દેખીને સિનેમા હોલમાં આ ફિલ્મની સ્ક્રીનિંગ નથી દેખાડી રહ્યા. પણ તેમ છતાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને માન આપીને અને મુખ્યમંત્રીની વાત મુજબ અમે જે સિનેમાગૃહ આ ફિલ્મની સ્ક્રીનિંગ કરવા ઇચ્છતું હોય તેને સુરક્ષા આપીશું. ત્યાં જ કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ પણ સ્કૂલના બાળકો પર કરવામાં આવેલા હુમલાને અયોગ્ય કહ્યું છે અને સાથે જ ખટ્ટર સરકાર તમામ મોર્ચા પર કાનૂન અને વ્યવસ્થા રાખવામાં અસફળ રહી છે તેમ જણાવ્યું છે. સાથે જ તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટેના આદેશને જો સરકાર લાગુ ના કરી શકે તો તેમને સરકારમાં કોઇ અધિકાર નથી. સૂરજ પાલ અમૂએ કહ્યું કે સ્કૂલ બસ પર હુમલો થયો તે અંગે એજ કહીશ કે કે હું શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાની અપીલ કરું છું. આ મામલે જ્યારે વડાપ્રધાન, ગૃહ મંત્રી કે અમિત શાહ બોલવા માટે આવશે ત્યારે જ પૂર્ણ થશે. હું પદ્માવતનો બહિષ્કાર કરવાની દરેકને અપીલ કરું છું.
-
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો?





Click it and Unblock the Notifications
