રાહુલ ગાંધીના કારણે મારો દિકરો પાયલોટ બન્યો : નિર્ભયાની માં
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કરી નિર્ભયાના નાના ભાઇને મદદ. જેના કારણે તે આજે બની શક્યો છે પાયલોટ. જે બાદ નિર્ભયાની માતાએ રાહુલનો આભાર માન્યો છે. વધુ વાંચો અહીં
2012માં નિર્ભયા સાથે જે થયું તે વાતનો સાક્ષી આખો દેશ છે. દેશની રાજધાની દિલ્હીમાં 2012માં નિર્ભયા સાથે થયેલા ગેંગરેપને આજે પાંચ વર્ષ થવા આવ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે નિર્ભયાની માતાએ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર માન્યો છે. નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું છે કે રાહુલ ગાંધીના કારણે જ મારો પુત્ર પાયલોટ બની શક્યા છે. અને તે માટે હું રાહુલ ગાંધીની આભારી છું. ત્યારે આ અંગે વિગતવાર વાંચો અહીં.

નિર્ભયાનો ભાઇ
નિર્ભયાની માતાએ કહ્યું કે જ્યારે આ દુર્ઘટના થઇ ત્યારે અમારો પૂરો પરિવાર તૂટી ગયો હતો. ત્યારે નિર્ભયાનો ભાઇ 12માં ધોરણમાં હતો. તેનો પરિવાર આ ઘટનાથી તૂટી ગયો હતો. તેના નાના ભાઇને સેનામાં જોડાવાની ઇચ્છા હતી. ત્યારે આ ઘટના બાદ રાહુલ ગાંધી અનેક વાર તેની જોડે ફોન પર વાત કરતા અને તેને ભણવા પ્રત્યે પ્રોત્સાહિત કરતા હતા.

ભણતરનો ખર્ચ
નિર્ભયાનો ભાઇ સેનામાં જોડાવા માંગતો હતો. તેના સ્કૂલના ભણતર બાદ રાહુલ ગાંધીએ તેના ભણતરનો ખર્ચ ઉઠાવ્યો અને તેને રાયબરેલીમાં આવેલ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડ્ડયન એકેડમીમાં આગળ ભણવા માટે મોકલ્યો. નિર્ભયાની માંએ જણાવ્યું કે આ દરમિયાન પણ રાહુલ ગાંધી ફોન કરીને તેના દિકરાને ક્યારેક પણ નાસીપાસ ન થવાની સલાહ આપતા હતા. એટલું જ નહીં પ્રિયંકા ગાંધી પણ વચ્ચે વચ્ચે નિર્ભયાના માતા-પિતાને ફોન કરી તેમના ખબર અંતર પૂછી લેતી હતી.

બન્યો પાયલોટ
આ એકેડમીમાં ભણ્યા પછી હવે નિર્ભયાનો ભાઇ પાયલોટ બની ચૂક્યો છે. અને હવે તે ગુરુગ્રામમાં કમોશ્યિલ એરલાઇન કેવી રીતે ઉડાવી તેની ટ્રેનિંગ લઇ રહ્યો છે. જેથી કરીને ટૂંક સમયમાં જ તે પોતે પણ પ્લેન ઉડાવી પાયલોટ બનવાનું પોતાનું સપનું સાકાર કરી શકે.

નિર્ભયા કેસ
ઉલ્લેખનીય છે કે 2012માં થયેલા નિર્ભયા ગેંગરેપ અને હત્યા મામલે તમામ આરોપી પર કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. તેના સગીર આરોપીને તો હવે છોડવામાં આવ્યો છે પણ તે સિવાય ચાર લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અને એક આરોપીએ જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. નોંધનીય છે કે નિર્ભયા કાંડ પછી સોનિયા ગાંધી અને તે વખતના વડાપ્રધાન મનમોહન સિંહ નિર્ભયાના માતા-પિતાને મળ્યા હતા.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે?









Click it and Unblock the Notifications
