મોદી અને રમણ સિંહના વખાણ રામદેવને પડ્યા ભારે!
નવી દિલ્હી, 9 ઓક્ટોબર: યોગ ગુરુ બાબા રામદેવને બીજેપીમાંથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ગુણગાન કરવા ભારે પડી ગયા. છત્તિસગઢના અલગ-અલગ વિસ્તારોમાં યોગ શિબિરનું આયોજન કરીને મુખ્યમંત્રી રમણ સિંહ અને નરેન્દ્ર મોદીનો પ્રચાર કરનારા બાબા રામદેવ પર ચૂંટણી પંચે કડક વલણ અપનાવ્યું છે, અને તેમનો રાજકીય અતિથિ તરીકેનો દર્જો સમાપ્ત કરી દીધો. ચૂંટણી પંચે બાબા રામદેવની રેલિયોની વીડિયોગ્રાફી કરાવવાના પણ આદેશ આપી દીધા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છત્તીસગઢ સ્વાભિમાન મંચે યોગ ગુરુ રામદેવ પર રાજ્ય અતિથિ બનીને ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવાની ફરિયાદ ચૂંટણી પંચને કરી હતી. મંચના મહાસચિવ મહેશ દેવાંગને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સુનિલ કુજુરને મળીને આ અંગેની લેખિતમાં ફરિયાદ કરી. આ અંગેની જાણકારી દેવાંગને બાદમાં પત્રકારોને આપી.
તેમણે જણાવ્યું કે રામદેવનું રાજ્ય અતિથિનું પદ તાત્કાલિક પાછું લેવાવું જોઇએ. ચૂંટણી પંચે બાબા રામદેવની સામે આ ફરિયાદ પર સંજ્ઞાન લઇને રાજકીય મહેમાનનો હોદ્દો સમાપ્ત કરી દીધો છે.