જૂઓ, અણ્ણા હજારેનો કેવી રીતે ઉપયોગ કરી રહી છે કોંગ્રેસ
બેંગ્લોર, 22 ડિસેમ્બરઃ ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ છેડીને આખા દેશ જગાવનારા અણ્ણા હજારે અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વચ્ચે બે-ચાર પત્રોનું આદાન-પ્રદાન શું થયું, લોકપાલ બિલ પર અણ્ણાની સહમતિ શું થઇ, કોંગ્રેસે અણ્ણાને પોતાની સંપત્તિ માની લીધી, અથવા તો એમ કહીંએ કે કોંગ્રેસને લાગવા માંડ્યું છે કે, હવે અણ્ણા હજારે પાર્ટીના દરેક મામલા સાથે છે. આ કોંગ્રેસની ભૂલ છે, અથવા વિશ્વાસ, પરંતુ સાચું તો એ છે કે હવે કોંગ્રેસ અણ્ણાનો ઉપયોગ કરી રહી છે.

કોંગ્રેસ શા માટે આવું કરી રહી છે?
કોંગ્રેસ આ બધુ એટલા માટે કરી રહી છે, જેથી લોકસભા ચૂંટણીમાં તે જનતાની સામે પોતાની નવી છબી સાથે જઇ શકે. કોંગ્રેસની યોજના હેઠળ વાત જો ભ્રષ્ટાચારની આવશે તો સૌથી પહેલા કોંગ્રેસી નેતા એમ જ કહેશે કે જેવું ભ્રષ્ટાચાર અંગે ખબર પડી, અમે મોટી-મોટી કમિટીઓ રચીને તપાસ કરાવી અને દોષિઓને જેલ પહોંચાડ્યા. આગળ ભ્રષ્ટાચાર ના થાય એટલા માટે અમે સશક્ત લોકપાલ બિલ લાવ્યા અને હવે તો લોકપાલ બિલથી અણ્ણા હઝારે જેવી હસ્તી પણ સહમત છે.
શું કરશે અણ્ણા?
તમને યાદ હશે કે આમ આદમી પાર્ટીની રચના બાદ જ્યારે ‘આપ'ના કેટલાક પોસ્ટર્સ પર અણ્ણા હજારે જોવા મળ્યા, તો અણ્ણાએ કેજરીવાલને આકરા શબ્દોમાં કહ્યું કે, હું કોઇ રાજકીય દળની સાથે નથી, મારા પોસ્ટરનો ઉપયોગ આમ આદમી પાર્ટી માટે કરવામાં ના આવે. ત્યારે કેજરીવાલને ઘણું દુઃખ પહોંચ્યુ હતુ. હવે વારો કોંગ્રેસનો છે. પ્રશ્ન એ ઉઠે છે કે શું અણ્ણા કોંગ્રેસને પણ આકરા શબ્દોમાં કહેશે કે પછી, પત્ર લખીને કહેશે, પ્રિય રાહુલ ગાંધી જી....!
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
